જામનગર શહેરમાં આજે પોલીસ વિભાગ દ્વારા તિરંગાનું વિતરણ

  • August 09, 2024 10:50 AM 

ખુદ જિલ્લા પોલિસવડા પ્રેમસુખ ડેલુ નગરજનોને તિરંગા વિતરણમાં જોડાયા


ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આજે ૮ ઓગસ્ટ ૧૩ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત જામનગર શહેરમાં આજે  પોલીસ વિભાગ દ્વારા  ડી કે વી કોલેજ સર્કલ પાસે તિરંગાનું રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.


જામનગર જિલ્લા પોલીસ  અધિક્ષક  પ્રેમસુખ ડેલુ, શહેર વિભાગના ડીવાયએસપી એન. જે. ઝાલા ઉપરાંત એલ.સી.બી. અને એસ.ઓ.જી. ના પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ  તિરંગા વિતરણ કાર્ય માં જોડાયો હતો.

હર  ધર તિરંગા અન્વયે આજે પોલીસ દ્વારા તિરંગા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ સમયે પોલીસ દ્વારા વાહન ચાલકો , રાહદારીઓ ને તિરંગા ઝંડા આપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application