દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે પરથી વૃક્ષો અને ટ્રી-ગાર્ડ ચોરાયા

  • September 19, 2024 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરોડો રૂપિયાના ખર્ચે દ્વારકા-સોમનાથ નેશનલ હાઈવે બનાવવામાં આવ્યો ત્યારે તેની સાથોસાથ આ સમગ્ર હાઇવે પર બંને બાજુ સરકારે તોતિંગ ખર્ચ કરીને વૃક્ષારોપણ કર્યું હતું તથા અલગ-અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ બેદરકારી દાખવવામાં આવી હોવાથી વૃક્ષોનું જતન થયું નથી અને તેના ટ્રી-ગાર્ડ પણ ચોરાઈ ચૂક્યા છે. પોરબંદર જિલ્લામાં આ હાઇવે પર ક્યાંય ટ્રી-ગાર્ડ જોવા મળતા નથી. ત્યારે હવે ફરીને નેશનલ હાઈવે ઓથોરિટી આ હાઈવેની બંને બાજુને હરિયાળી બનાવવા માટે ખર્ચ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જો તંત્ર વૃક્ષોની જાળવણી કરી શકતું ના હોય તો પોરબંદરમાં જે રીતે ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમને જવાબદારી સોંપવામાં આવી છે એ જ રીતે આ હાઇવે પર વૃક્ષોના જતન અને જાળવણી માટે પણ જવાબદારી સોંપી શકાય જેથી પ્રજા ના કરવેરા અને ટોલટેક્સમાંથી વવાતા વૃક્ષો બચી શકે તેવુ સુચન થયુ છે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application