ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ

  • July 23, 2024 11:17 AM 

મંદિર પરિસરમાં 100 વૃક્ષો વાવ્યા



ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે રવિવારે કેશોદ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે કેશોદ ગામે આવેલા આવળ માતાજીના મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


ખંભાળિયા તથા આજુબાજુના સ્થળોને હરિયાળુ બનાવવાના હેતુથી આ પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબના હોદ્દેદારો, કાર્યકરો તથા કેશોદ ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા આવળ માતાજીના મંદિરના પટાંગણમાં 100 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ સાથે આ વૃક્ષોનું જતન અને પોષણની જવાબદારી કેશોદ ગ્રામ પંચાયત દ્વારા સ્વીકારવામાં આવી હતી.


આ પ્રોજેક્ટ માટે લાયન્સ ક્લબ ખંભાળિયાના પ્રમુખ ડો. સાગર ભુત દ્વારા કેશોદના અગ્રણી કશ્યપભાઈ ડેર તથા ગ્રામ પંચાયત સદસ્યો અને ગ્રામજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application