ગુજરાત રાજ્યમાં દર વર્ષે તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 થી 14 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 60 અબોલ પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં 5 પક્ષીઓ, 33 કુતરા, 18 ગાય અને 4 બિલાડીની સારવાર કરવામાં આવી હતી.
કરુણા અભિયાન દરમ્યાન અલગ અલગ જગ્યાએ પશુ પક્ષીઓ જે પતંગના દોરાવાથી ઘાયલ હોય અને અન્ય કોઈ રીતે વધારે ગંભીર ઈજા કે બીમારીથી પીડાતા હોય, તેની ખાસ સારવાર કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સંખ્યા એક રાખવામા આવી હતી. તેમ પોરબંદર ઝોન પ્રોગ્રામ મેનેજર ડો. સાયેબ ખાન દ્વારા જણાવ્યું હતું.
20 જાન્યુઆરી સુધી ચાલનારા આ કરુણા અભિયાનમાં જો કોઈ પણ નાગરિકને ક્યાંય પણ પક્ષીઓ ઘવાયેલ જોવા મળે તો નિશુલ્ક સેવા 1962 માં કોલ કરી જીવ બચાવવા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પ અંગે પોલીસ વડાએ આપી વિગતો
April 26, 2025 12:25 PMજામનગરમાં આજે હાલારી ભાનુશાળી જ્ઞાતિના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો 107 મો નવચંડી યજ્ઞનું આયોજન
April 26, 2025 12:13 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો થયો પ્રારંભ
April 26, 2025 12:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech