જામનગરમાં કાકી-ભત્રીજાના પ્રેમસબંધનો કરુણ અંજામ

  • November 04, 2023 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભત્રીજાનો ગળાફાંસો ખાઇ આપઘાત : હનુમાન ટેકરીનો બનાવ

આડા સબંધનો હંમેશા કરુણ અંજામ આવતો હોય છે, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં આ પ્રકારના કિસ્સાઓ બહાર આવી ચુકયા છે, દરમ્યાન અહીંના હનુમાન ટેકરી વિસ્તારમાં કૌટુંબીક કાકી અને ભત્રીજાના પ્રેમસબંધનો કરુણ અંજામ આવ્યો છે, જેમાં યુવકે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
જાણવા મળતી વિગત મુજબ જામનગરના દી.પ્લોટ-૪૯ રોડ, હનુમાન ટેકરી પાસે રહેતા ભરત નાથાભાઇ મગવાણીયા (ઉ.વ.૩૯) નામના કોળી યુવાનને તેની કૌટુંબીક કાકી સાથે છેલ્લા ૧૦ વર્ષથી પ્રેમ સબંધ હતો દરમ્યાન કાકીએ પોતાની સાથે લગ્ન કરવાનું કહેતી હોય, જયારે યુવાન ભત્રીજો પરણીત હોવાથી લગ્ન કરવા ન હોય અને લગ્ન કરવાની ના પાડતો હતો.
દરમ્યાન કાકીએ લગ્ન કરવાનું દબાણ કરતા આ બાબતથી કંટાળી જઇ ભરતભાઇએ ગઇકાલે પોતાના ઘરે પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે હનુમાન ટેકરી પાસે રહેતા કલ્પનાબેન ભરતભાઇ મગવાણીયાએ સીટી-એ પોલીસમાં જાણ કરતા હેડ કોન્સ. આર.ડી. ગાંભવા તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application