ખંભાળિયાના ધરમપુર વાડી વિસ્તારના રહેતા અશોકભાઈ ભાણાભાઈ ખાણધર નામના 52 વર્ષના સતવારા આધેડ ગઈકાલે રવિવારે પોતાના જી.જે. 37 એચ. 5332 નંબરના હોન્ડા સાઈન મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 12 કિલોમીટર દૂર વિંઝલપર ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 સી. 4141 નંબરના અન્ય એક હોન્ડા સાઈન મોટરસાયકલના ચાલકે અશોકભાઈના બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણ અંગે મૃતક અશોકભાઈ ખાણધરના પુત્ર ચિંતનભાઈ અશોકભાઈ ખાણધર (ઉ.વ. 26, રહે. બેડીયાવાડી - ધરમપુર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે જી.જે. 37 સી. 4141 નંબરના મોટરસાયકલના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય મોટરસાયકલ ચાલકની હાલત પણ ગંભીર જણાતા તેમને અહીંથી વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે સતવારા આધેડ અશોકભાઈ ખાણધરના અકસ્માતે અપમૃત્યુના આ બનાવે સતવારા સમાજમાં અરેરાટી પ્રસરાવી છે. બે બાઈક વચ્ચેના આ અકસ્માતમાં બંને વાહનોનો બુકડો બોલી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝિમ્બાબ્વે સામે હાર બાદ એમએસ ધોનીના ક્લબમાં શુભમન ગિલની થઈ એન્ટ્રી
July 07, 2024 12:03 PMધોનીએ સલમાન ખાન સાથે સેલિબ્રેટ કર્યો પોતાનો 43મો બર્થ ડે, જુઓ વિડીયો
July 07, 2024 11:53 AM'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech