મુંબઈમાં દુર્ઘટના : 20 માળની નિર્માણાધિન ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 મજૂરોના મોત

  • September 05, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મુંબઈના મલાડ ઈસ્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. જેમાં ગોવિંદ નગર વિસ્તારમાં એક નિર્માણાધિન ઈમારતનો સ્લેબ ધરાશાયી થવાથી બે મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે. ચાર કામદારો અંદર ફસાયા છે. ઘટના અંગેની જાણ થતા મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.




મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે થઈ જ્યારે મજૂરો બિલ્ડીંગના 20માં માળે કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન મલાડમાં નિર્માણાધીન નવજીવન બિલ્ડિંગના 20મા માળનો સ્લેબ પડી ગયો હતો. આ બિલ્ડીંગ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહી છે.




આ ઘટના ગુરુવારે બપોરે 12.10 કલાકની આસપાસ બની હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે, નિર્માણાધીન ઈમારતના સ્લેબનો કેટલોક હિસ્સો ધરાશાયી થવાને કારણે આ દુર્ઘટના થઈ છે. ઈજાગ્રસ્ત કામદારોને નજીકની MW દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોએ બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય બેની સારવાર ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application