છત્તીસગઢના રાજનાંદગાંવથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં વીજળી પડવાથી આઠ લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ચાર બાળકો પણ સામેલ છે. મળતી માહિતી મુજબ, આ ઘટના સોમની પોલીસ સ્ટેશન વિસ્તારના જોરાતરાય ગામમાં બપોરે લગભગ 1 :30 કલાકે બની હતી.
કેટલાક લોકો પાનની દુકાન પાસે રોકાયા હતા, ત્યારે અચાનક વીજળી પડી અને ત્યાં હાજર બાળકો અને અન્ય લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઘટના સ્થળે પહોંચ્યા અધિકારીઓ
ઘટનાની માહિતી મળતા જ કલેક્ટર, એસપી અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આરોગ્ય વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે. ઘટનાને લગતી વધુ માહિતીની હાલ રાહ જોવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech