લાલવાડીમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

  • June 05, 2023 11:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૬૫,૦૦૦ ની માલમતા ચોરાઈ : આઠ માળિયા બિલ્ડિંગના ત્રણ વિંગના પાણીના છ નંગ ઢાંકણાની ચોરી

જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા ૬૫ હજાર ની માલમત્તા ની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. અન્ય બનાવમાં મયુરનગર વિસ્તારમાં આવેલા આઠ માળિયા આવાસ ના જુદા જુદા ત્રણ બિલ્ડીંગની અલગ અલગ ત્રણ વિંગ ના ઉપર- નીચેના પાણીના ટાંકાના છ નંગ લોખંડના ઢાંકણા ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા છે.
જામનગરમાં લાલવાડી વિસ્તારમાં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતાં રાજેન્દ્રસિંહ ભીખુભા જાડેજાના બંધ રહેણાક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીઘું હતું, અને અંદર પ્રવેશી લોખંડના કબાટમાંથી સોનાની બે વીંટી કાનની કડી તથા ૪૫,૦૦૦ ની રોકડ રકમ સહિત રૂપિયા ૬૫,૦૦૦ ની માલમતાની ચોરી કરી લઈ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટે સીસીટીવી કેમેરાની મદદથી કવાયત શરૂ કરી છે.
ચોરીના અન્ય બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુર નગર આઠ માળિયા આવાસના વિંગ નંબર ડી-૨ માં રહેતી લતાબેન ચેલારામભાઈ મંગે નામની મહિલાએ પોતાની વિંગના ગ્રાઉન્ડ ફ્લોરના પાણીના ટાંકાના ઢાંકણા તેમજ અગાસી પરના લોખંડના ઢાકણાંની કોઈ તસ્કરો ચોરી કરી રહી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
આ ઉપરાંત બી-૧વીંગ ના રહેવાસી ભાવિશાબેન ગિરધરલાલભાઈ ચૌહાણ તેમજ બી-૨ વિંગ ના અનિતાબેન રામભાઈ ચાવડા નામના રહેવાસીએ પણ પોતાના ગ્રાઉન્ડ ફ્લોર અને છતના પાણી ના ટાંકાના ઢાંકણાં સહિત ૬ હજાર ની કિંમતના ૬ નંગ લોખંડના ઢાંકણાની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે ચોરી મામલે સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને ઢાકણાંઓની ચોરી કરનારની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application