જામનગરમાં આવેલી ફ્લોર મિલને નિશાન બનાવતા તસ્કરો

  • May 17, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બારીમાંથી હાથ નાખી તસ્કરો ૧૬,૫૦૦ ની રોકડ રકમની ચોરી કરી ગયાની ફરિયાદ


જામનગરમાં લખપતિ કોલોની વિસ્તારમાં આવેલી એક ફલોરમિલને નિશાન બનાવી લીધી હતી, અને બારીની અંદર હાથ નાખી પેટીમાં રાખવામાં આવેલી રૂપિયા ૧૬,૫૦૦ ની રોકડ રકમની ચોરી કરી ગયા છે.



જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા અને લખપતિ કોલોની માં દત્તાત્રેય ફ્લોર મિલ ચલાવતા શૈલેષભાઈ મણીલાલ રવિભાણ નામના વેપારીએ પોતાની ફ્લોર મિલ માંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરો એ ખાતર પાડ્યું હતું, અને બારીમાં હાથ નાખી બારી પાસે રાખવા આવેલી પેટીમાંથી આખા દિવસના વેપારની એકત્ર થયેલી રૂપિયા ૧૬,૫૦૦ ની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જે  બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.ડી.જી.રાજ તેમની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તસ્કરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application