દ્વારકામાં વડાપ્રધાનનાં કાર્યક્રમને દિને બંધનાં એલાનને નબળો પ્રતિસાદ
ઓખા - બેટ દ્વારકા વચ્ચે સમુદ્રમાં નિર્માણ થયેલ સુદર્શન સેતુનાં લોકાર્પણ પછી વડાપ્રધાન દ્વારકામાં જગતમંદિરે દર્શનાર્થે આવ્યા હતા તથા એ પછી જનસભા પણ સંબોધી હતી. વડાપ્રધાનનાં દ્વારકા કાર્યક્રમને પગલે દ્વારકામાં વેપાર ધંધા બંધ રાખવા કહેવાતી વેપારી સંસ્થાએ એલાન કર્યુ હતું પરંતુ એની નોંધ લેવાઇ ન હોય એમ બજાર મોટેભાગે ખુલ્લી જોવા મળી હતી.
વેપારી આગેવાનોએ વડાપ્રધાનની સભામાં ઉમટી પડવા વેપારીઓને આહ્વાન કરી એ માટે વેપાર ધંધા બંધ રાખવાની અપીલનો વિડીયો સંદેશ પણ માધ્યમોમાં વહેતો કર્યો હતો જેને પગલે અમુક દુકાનો તો રવિવારે જ બંધ પાળતી હોવાની સ્થિતિને જોતા અપીલ પછી બજારમાં સજ્જડ બંધ જોવા મળવો જોઇએ પરંતુ દ્ર્શ્ય ઉલ્ટુ જોવા મળતા આ બાબતે ફિયાસ્કો થયો હોવાનો ઘાટ ઘડાયો છે.
વડાપ્રધાનની સભામાં તો જનમેદની ઉમટી પડી હતી પરંતુ વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખતા બંધનું એલાન કરનારા વેપારી આગેવાનોની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉભો થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech