વેરાવળ ચોપાટીનું લાઈટિંગ મોડીરાત સુધી ચાલુ રાખવા વેપારી મહામંડળની માગ

  • May 17, 2024 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાં વેપારી એસોસિએશન મહામંડળ દ્વારા રાત્રીના મોડે સુધી ફરવા લાયક સ્ળ ચોપાટીએ લાઇટો ચાલુ રહે તે અંગે પોલીસ અધિકારી સહીતના લાગતા વળગતાઓને લેખીત રજૂઆત કરી માંગ કરેલ છે.વેરાવળ વેપારી મહામંડળના અનિષભાઇ રાચ્છ, મુકેશભાઇ ચોલેરા સહીતના દ્વારા કરેલી રજૂઆતમાં જણાવેલ કે, ગુજરાત સરકારના શોપ એસ્ટાબ્લિસ્ટ શ્રમ અને રોજગાર વિભાગના પરિપત્ર મુજબ નગરપાલિકા વિસ્તારમાં સવારે છ થી  સાંજે રાત્રે બે વાગ્યા સુધી વેપાર ધંધા માટે કોઈ અલાયદી મંજૂરીની જરૂર ની તે પરિપત્ર મુજબ વેપારીંઓને વેપાર ધંધા કરવા દેવા જણાવેલ છે. વધુમાં જણાવેલ કે, હાલ ઉનાળુ વેકેશન હોય અને પાયેટર્ન તરીકે વિકસિત વેરાવળમાં બહાર ગામી આવતા પરિવાર માટે રાત્રે ફરવા લાયક એક માત્ર ચોપાટી સ્ળને રાત્રે વહેલું બંધ કરાવતા હોય જેી ચોપાટીએ રાત્રે એક વાગ્યા સુધી લાઈટો ચાલુ રાખો અને શહેરમાં ખાણીપીણીના ધર્ંધાીઓને ખુલ્લા રાખવા અંગે જિલ્લા કલેકટર, એસપી, ડેપ્યુટી કલેકટર, નગરપાલિકા ચીફ ઓફિસર, પ્રમુખ, સિટી પોલીસ ઇન્સ્પેક્ટર સહીતનાને આપેલ છે.

આ ઉપરાંત વેરાવળની મધ્યમાં આવેલ ફૂડ ઝોનમાં બે કે ચાર દુકાનો ચા નાસ્તાની ચાલુ હોય તેને પણ મોડી રાત્રી સુધી ખુલી રહે છે તો એક જ પરિપત્રની બે અમલવારી શું કામે તેવું પણ રજૂઆતમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application