મૃત્યુનો આંક બે નો થયો
વાંકાનેર પંથક ના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે ટ્રેક્ટરમાં બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન ફલ્લા નજીક એક કારના ચાલકે ટ્રેકટર ને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં વાંકાનેર પંથકની કિરણબેન જયરાજભાઇ વિજવાડિયા નામની ૧૯ વર્ષની યુવતીને ગંભીર ઈજા થઈ હોવાથી તેણીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અન્ય ૧૭ જેટલા યાત્રાળુઓ ઇજાગ્રસ્ત બન્યા હતા. ઉપરોક્ત અકસ્માતના બનાવમાં વધુ એક મહિલા શાંતાબેન શામજીભાઈ વિજવાડિયાનું જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જેથી આ અકસ્માત ના બનાવવામાં મૃત્યુનો આંક બે નો થયો છે. જ્યારે અન્ય ૧૬ વ્યક્તિ સારવાર હેઠળ છે, જે પૈકીના અન્ય એક વૃદ્ધ ની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
સમગ્ર ઘટનાની જાણ થતા વાંકાનેર પંથકના મૃતક અને ઈજાગ્રતના પરિવારજનો જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોની સારવારમાં મદદ કરી હતી, તેમજ અન્ય ઇજાગ્રસ્તો ને વાંકાનેર અથવા રાજકોટ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર બનાવ મામલે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ. કે. પટેલે કારચાલક સામે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech