તળાજા સહિત સમગ્ર જિલ્લામાં ચકચારી એવા તળાજા તાલુકાના પીંગળી ગામે વાડી વિસ્તારમાં પાંચેક માસ પૂર્વે નિંદ્રાધિન અવસ્થામાં દંપત્તિની થયેલી હત્યાનું રહસ્ય ઉકેલવા અને તેમાં સંડોવાયેલા શખ્સો સુધી એલસીબી, એસઓજી સહિતની પોલીસની ટીમો અસફળ રહ્યા બાદ ઘેરા બનેલા રહસ્યના ઉકેલ માટે આઈજી દ્વારા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની પણ રચના કરીટીમને કામે લગાડાઈ હતી. પરંતુ સીટની ટીમ પણ આરોપી સુધી ન પહોંચી શકતા આખરે કોર્ટમાં સમરી પણ ભરી દેવામાં આવી હતી. દરમ્યાનમાંલોકલ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધીમી ગતિએ તપાસ હાથ ધરાઈ હતી અને પોલીસની લાંબી તપાસ બાદ મહત્વની કડીઓ હાથ લાગતા આ ચકચારી ઘટનાના રહસ્ય ઉકેલવા માટે ઉજળા સંજોગો ઉભા થયા હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ભાવનગર જિલ્લામાં ચકચારી બનેલી તળાજાના પીંગળી ગામે વાડી વિસ્તારમાં પાંચેક માસ પૂર્વે વાડી વિસ્તારમાં રહેતા શીવાભાઈ મોતીભાઈ રાઠોડ (ઉ. વ.૫૫) અને તેમના પત્ની વસંતબેન (ઉ. વ.૫૩)ની નિંદ્રાધિન અવસ્થામાં જક્રૂરતા પૂર્વક હત્યામાં પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે પીંગળી ગામે થયેલી હત્યાનો તળાજા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આગળ જતા એલસીબીઅને એસઓજીની ટીમ પણ જોતરાઈ હતી.પરંતુ તેમાં કોઈ સફળતા ન મળતા આઈજી દ્વારા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જોકે ઘટનામાં સંડોવાયેલા શખ્સો સુધી ટીમ પહોંચી ન શકતા પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ સમરી ભરવામાં આવી હતું.
દરમ્યાનમાં આ રહસ્યમય ઘટના અંગે પોલીસને કેટલીક મહત્વની કડીઓ હાથ લાગી હોવાનું અને મળેલી કડીઓના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોય આગામી સમયમાં ઘટના પરથી પરદો ઉંચકાય તેવા ઉજળા સંજોગો ઉભા થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech