કોળીયાક પાસે બનેલી બસ દુર્ઘટનાના પ્રવાસીઓ ચેન્નાઇ જવા રવાના

  • September 30, 2024 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર નજીક કોળીયાક પાસે માલેશ્રી નદીના પ્રવાહના કોઝ વે પાસે બનેલી બસની દુર્ઘટનાના પ્રવાસીઓને સ્થાનિક લોકોની મદદથી તંત્રએ હેમખેમ બચાવી લીધા બાદ આજરોજ બપોરે અમદાવાદ જવા રવાના થયા હતા. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા, મ્યુનિસિપલ કમિશનર  સુજીત કુમાર, નિવાસી અધિક કલેકટર એન.ડી. ગોવાણી સહિત અધિકારીઓને પ્રવાસીઓએ એમના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રવાસીઓને ભાવનગર કાળીયાબીડ ખાતે ઉમા ભવન ખાતે તેઓને રહેવા- જમવા સહિત સતત મેડિકલ ચેકઅપની સુવિધા આપવામાં આવી હતી. આ ઉપરાંત બસમાં રહેલો એમનો સામાન પણ સહી સલામત બધાને મળી ગયો હોવાની તકેદારી લેવામાં આવી હતી.આ પ્રવાસીઓ બસ મારફત અમદાવાદ જવા રવાના થયા હતા ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફત ચેન્નાઇ જશે.
આ તકે પ્રવાસીઓએ અધિકારીઓને મળીને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ કલેકટર આર. કે. મહેતાએ પ્રવાસીઓ સાથે વાર્તાલાપ કરીને એમના અનુભવો જાણ્યા હતા અને હવે પછીની એમની યાત્રા સુખદાયી નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application