કાલે ૨૦૧ નવી એસટી બસનું લોકાર્પણ રાજકોટને ૧૧, સૌરાષ્ટ્ર્રને કુલ ૮૩ ફાળવી

  • January 03, 2024 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા કુલ ૨૦૦૦ નવી બસોની ખરીદી કરાઇ છે. આવતીકાલે તા.૪ જાન્યુઆરી ૨૦૨૪થી ગાંધીનગર ખાતેથી તબક્કાવાર તેનું લોકાર્પણ શ કરવામાં આવનાર છે. કાલે સવારે ગાંધીનગરમાં આયોજિત લોકાર્પણ સમારોહમાં રાજકોટને ૧૧ સહિત સૌરાષ્ટ્ર્રને ૮૩ નવી બસની ફાળવણી કરાશે. ચાલુ વર્ષ દરમિયાન હવે દર મહિને નવી બસો ફાળવવામાં આવશે અને રાય સ્તરે ઓવરએજ બસોનો રેશિયો ઝીરો કરાશે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આવતીકાલે સવારે ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય લોકાર્પણ સમારોહમાં નવી કુલ ૨૦૧ બસની રાયના ૧૬ ડિવિઝનને ફાળવણી થશે જેમાં સૌરાષ્ટ્ર્રમાં રાજકોટને ૧૧, અમરેલીને ૨૧, જૂનાગઢને સૌથી વધુ ૨૬, ભાવનગરને ૧૮ અને જામનગરને સૌથી ઓછી ૭ સહિત કુલ ૮૩ નવી બસની ફાળવણી થશે. તમામ ડિવિઝનને ફાળવેલી બસો હેડકવાર્ટર સુધી લઇ જવા માટે ડ્રાઇવર કંડકટરને નરોડા સેન્ટ્રલ વર્કશોપ ખાતે મોકલવા આદેશ કરાયો છે.


કયા ડિવિઝનને કેટલી નવી બસ ફાળવી

રાજકોટ ૧૧, જામનગર ૦૭, જૂનાગઢ ૨૬, અમરેલી ૨૧, ભાવનગર ૧૮, ભુજ ૦૫, હિંમતનગર ૧૫, મહેસાણા ૨૦, નડિયાદ ૦૪, પાલનપુર ૧૩, ભચ ૧૧, ગાંધીનગર ૦૮, બરોડા ૦૬, વલસાડ ૧૨, અમદાવાદ ૧૦, સુરત ૧૪.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application