આજકાલ ગરબા કાર્યાલયનો ધમાકેદાર પ્રારંભ

  • September 06, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આધ્યશકિત તુજને નમું..... સાંધ્ય દૈનિક આજકાલ ગ્રુપ દ્રારા નવરાત્રી મહોત્સવ કાર્યાલયનો આજથી શુભારભં કરવામાં આવ્યો. માં જગદંબાની આરતી, ગણપતિ પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત આજકાલ ગરબા કાર્યાલયનો પ્રારભં થતાની સાથે જ ખેલૈયાઓની આતુરતાનો અતં આવ્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી સફળતાભેર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર્રના ખેલૈયાઓ માટે સુંદર નવરાત્રી મહોત્સવનો આયોજન કરતાં આજકાલના ગરબા માટે રાસ રસિયાઓ આખું વરસ રાહ જોઈને બેઠા હોય છે, જેની આતુરતા આજે પૂરી થઈ અને ગરબા કાર્યાલયનું ધમાકેદાર ઉધ્ઘાટન થયું.
આજકાલના મોભી શ્રી ધનરાજભાઈ જેઠાણી ના નેતૃત્વ હેઠળ આજકાલ ગ્રુપના એમ.ડી. ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ તંત્રી અનીલ જેઠાણી, ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધનરજની કોમ્પ્લેકસ ખાતે ગરબા કાર્યાલય આજથી ધમધમતું થઈ ગયું છે. માઁ આધશકિતની આરાધના સાથે આજથી કાર્યાલયના પ્રારભં સાથે જ પાસ બુકિંગ માટે ખેલૈયાઓનો ધસારો થયો છે.

આજકાલ આયોજિત ગરબા કાર્યાલયના ભવ્ય ઉદઘાટન સમારોહમાં કલાસિક ઇવેન્ટ દ્રારા અતુલભાઇ દોશી, વિશાલ દોશી, વિપુલભાઈ દવે, ક્રિએટિવ હોબી ઝોનના કુલદીપસિંહ, હેમાંગી દવે, ૫,૬,૭ડાન્સ એકેડમીના નીરવ અજમેરા, જુલી પાલા, માધવી જોગીયા, આજકાલ પરિવારના શુભેચ્છકો તેમજ આજકાલ પરિવારના સભ્યો નવરાત્રી મહોત્સવ કાર્યાલયના ઉધ્ઘાટન અવસરે હાજર રહ્યા હતા.

૧૪ વર્ષથી આજકાલ ગ્રુપ દ્રારા ઝાકમઝોળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશાળ ગ્રાઉન્ડ, મુંબઈના સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા અને ગાયકોના સથવારે નવ નવ દિવસ સુધી ખેલૈયાઓ સંપૂર્ણ સુરક્ષાભર્યા માહોલ વચ્ચે ગરબે ઝુમી ઉઠે છે. હજારોની મેદનીમાં મુંબઈના ખ્યાતનામ કલાકારોના સૂરના સથવારે અને ઓરકેસ્ટ્રાના તાલે ગરબે ઘૂમતા ખેલૈયાઓને નિહાળવાનો લહાવો આજકાલના આંગણે મળે છે. બાળકોથી લઇ વડીલો પણ આજકાલના આંગણે ભારે ઉત્સાહથી ગરબા રમે છે. આજકાલ નવરાત્રી મહોત્સવ ૨૦૨૪ના પાસ બુકિંગ માટે ખેલૈયાઓએ યાજ્ઞિક રોડ, ધનરાજની બિલ્ડીંગ, ગ્રાઉન્ડ લોર ખાતે સંપર્ક કરવાનો રહેશે. આજે ગરબા પાસ માટેના કાર્યાલયના ઉધ્ઘાટન સમયે ગરબા કલાસીસના સંચાલકો અને ખેલૈયાઓએ રાસ રમીને ગરબાના શ્રી ગણેશ કર્યા હતા. પારદર્શક નિર્ણય માટે જાણીતા આજકાલ ગરબામાં નવ નવ દિવસ અને ફાઇનલ ગરબા માટે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે. આજકાલ ગરબાની ટીમની મહેનત કાબિલે દાદ હોય છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના એકદમ પારદર્શક રીતે જજની ટીમ દ્રારા ફાઇનલમાં ખેલૈયાઓનું નોમિનેશન કરીને વિજેતા જાહેર કરવામાં આવે છે. જેના માટે આજકાલ હંમેશા પારદર્શક નિર્ણય માટે નામના ધરાવે છે. દરરોજ વિજેતા ખેલૈયાઓને લાખેણા ઇનામો સાથે ફાઇનલના કિંગ અને કવીનને પણ ઇનામોની વણઝાર અપાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં આજકાલ નવરાત્રી મહોત્સવમાં સુપ્રસિદ્ધ અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ મુલાકાત લીધી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેઈમ દિલીપ જોશી, દિશા વાકાણી, ભવ્ય ગાંધી, જાણીતી અભિનેત્રી પ્રાચી દેસાઈ, બાલિકાવધુ ફેઈમ અવિકા ગોર, રશ્મી દેસાઈ, હિના ખાન સહિત ટીવી સેલિબ્રિટીઓએ આજકાલના ગરબા ને મન ભરીને માણ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application