વર્લ્ડકપ મેચોને ધ્યાને લઈ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સમયમાં કરાયો ફેરફાર...આ સમય સુધી ચાલુ રહેશે મેટ્રો

  • October 03, 2023 08:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની પ્રથમ મેચ યોજાવા જઈ રહી છે. જેને લઈને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપની મેચ દરમ્યાન સવારે 6.20 થી રાત્રીના 1.00 વાગ્યા સુધી મેટ્રો રેલ ચાલુ રહેશે.




ક્રિકેટ રસીયાઓ માટે આગામી સમયમાં વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. જેનો ઉત્સાહ સારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઉત્સાહને ધ્યાને રાખીને મેચ જોવા ગયેલા લોકોને મેટ્રો ટ્રેનની સુવિધા મળી રહે તે માટે તેના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી. દ્વારા અમદાવાદમાં રમાનાર મેચનાં દિવસે ટાઈમમાં ફેરફાર કર્યો છે. જેમાં 5 તેમજ 14 ઓક્ટોમ્બરનાં રોજ મેટ્રો ટ્રેન સવારે 6.20થી મધ્યરાત્રિના એક વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે મેચ જોવા ગયેલા તમામ ક્રિકેટ રસિકોને મુસાફરીમાં કોઈ પરેશાની થશે નહીં. 


મુસાફરોની સવલત માટે આ સુવિધા કરાઈ શરૂ

મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન પરથી પરત મુસાફરી માટે ટિકિટની ખરીદીમાં ભીડ ટાળવા મુસાફરોની સુવિધા માટે પેપર ટિકિટની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પરત મુસાફરી માટે મેચનાં દિવસે રાત્રે 10 કલાક પછી કોઈ પણ સ્ટેશન સુધીની મુસાફરી માટે રૂ. 50 નાં નિશ્ચિત દરે ખરીદી કરી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application