દીકરીએ લવમેરેજ કરતા આધેડે માસૂમ પુત્રને નદીમાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું'તું

  • September 11, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢના દાતાર રોડ ઉપર રહેતા રિક્ષાચાલકે પુત્રી અને પુત્રને સાથે લઇ ઘર છોડી દીધા બાદ ધોરાજી–ઉપલેટા નેશનલ હાઇવે પર પહોંચી પ્રથમ ૧૦ વર્ષના પુત્રને પુલ પરથી ધક્કો મારી પોતે પણ પૂલ પરથી ઝંપલાવી દેતા પિતા–પુત્ર બન્નેના કરૂણ મોત નીપયા હતાં.આધેડની પુત્રીએ પાડોશમાં રહેતા યુવાન સાથે લવમેરેજ કર્યા હોય જે બાબતને લઈને તેઓ સતત ટેન્શનમાં રહેતા હતા આજ ચિંતામાં તેમણે આ પગલું ભયુ માલુમ પડું છે.માસુમ પુત્રને નદીમાં ધકેલી મોત નિપજાવવા અંગે મૃતક સામે તેના સાળાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનેવી સામે ફરિયાદ નોંધાવી છે.
સોમવારે રાત્રિના સમયમાં જુનાગઢના દાતાર રોડ જુનાગઢ ખાતે રહેતા હિરેનભાઇ નિરંજનભાઇ જયસ્વાલ(ઉ.વ ૪૫) અને તેનો પુત્ર રિયાન્સ (ઉ.વ. ૧૦ ) અને તેની પુત્રી દ્રષ્ટ્રિ ત્રણેય જૂનાગઢથી ઘર છોડી ધોરાજી તરફ નીકળી ગયા હતા. તેમની પત્ની જૂનાગઢ ખાતે એકલી રાખી દીધી હતી અને અને બંને સંતાનો સાથે ધોરાજી તરફ આવી અને ઉપલેટા નેશનલ હાઇવે પાસે આવેલ ભાદર–૨ નદી પાસે ઊભા રહી તેમની પત્નીને ફોન કર્યેા હતો કે, તું તાત્કાલિક આવી જા આ પ્રકારની વાત કરીને અચાનક જ પિતા–પુત્રએ ભાદર નદીમાં ઝંપલાવી દીધું હતું. ઉપરોકત બનાવવાની જાણ થતા ધોરાજી તાલુકા પોલીસ, ધોરાજી મામલતદાર તાત્કાલિક ઘટના સ્થળે નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમને લઈને દોડી ગયા હતા. બંનેની શોધખોળ કરતા ગઈકાલ સવારના બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે મૃતકના સાળા અજય ભરતભાઈ જયસ્વાલ (ઉ.વ ૪૦) દ્રારા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોતાના ૧૦ વર્ષના ભાણેજની હત્યા કર્યા અંગે બનેવી હિરેન જયસ્વાલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જે ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તેમની નાની બહેન સોનલના લ વર્ષ વર્ષ ૨૦૦૫માં હિરેન નિરંજનભાઇ જયસ્વાલ સાથે થયા હતા. જેઓ મૂળ કોડીનારના છાછર ગામના વતની છે બહેન બનેવીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. છેલ્લા પાંચ વર્ષથી હિરેનભાઈ અહીં જૂનાગઢમાં જ રહેવા આવી ગયા હતા.
આશરે પાંચેક મહિના પૂર્વે હિરેનભાઈની મોટી દીકરીએ પાડોશમાં રહેતા યુવાન સાથે પરિવારની મરજી વિદ્ધ લવ મેરેજ કર્યા હતા જેના કારણે હિરેનભાઈ સતત ટેન્શનમાં રહેતા હતા અને તેનો સ્વભાવ ગુસ્સાવાળો થઈ ગયો હતો. દરમિયાન તારીખ ૯ ૯ ના તેઓ પુત્ર રિયાંશ અને પુત્રી ધ્ષ્ટ્રિને લઈ નીકળી ગયા હતા બાદમાં આ ઘટના બની હતી


પપ્પાએ મને ઝટકો મારી રિયાંશને નદીમાં ફેંકી દીધો: પુત્રીનો વલોપાત
મૃતકની પુત્રી ધ્ષ્ટ્રિએ ફોનમાં વાત કરી હતી કે, તેઓ જુનાગઢથી રિક્ષામાં બસસ્ટેન્ડ ગયા હતા ત્યાંથી બસમાં બેસી અને પુલિયા પાસે ઉતર્યા હતા. પપ્પા રિયાંશને અહીં નદીમાં નાખવા જતાં રિયાંશ રાડારાડી કરતા મેં તેને પકડવાની કોશિશ કરતા પપ્પાએ મને ઝટકો મારી રિયાંશને મુકાવી દઇ નદીમાં ફેંકી દીધો હતો અને ત્યારબાદ પપ્પા પણ નદીમાં કૂદી ગયા હતા. જેથી આ મામલે મૃતકના સાળાએ બંનેની સામે આ ફરિયાદ નોંધાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application