દેશની રાજધાની દિલ્હીમાં આવેલા સંસદ ભવનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરવા જતા ત્રણ શકમંદની સીઆઈએસએફના જવાનોએ ધરપકડ કરી છે.ત્રણેય પાસે નકલી આધાર કાર્ડ હતા. ત્રણેય શકમંદોએ ગેટ નંબર ત્રણથી સંસદભવનમાં પ્રવેશવાનો નાકામ પ્રયાસ કર્યેા હતો. પરંતુ સીઆઈએસએફના જવાનોએ સમય સુચકતા વાપરીને ત્રણેયને અટકાવી દીધા હતા
સીઆઈએસએફના જવાનોએ નકલી આધાર કાર્ડ સાથે સંસદભવનમાં ઘૂસવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ત્રણ મજૂરો નકલી આધાર કાર્ડ સાથે સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં હાજર સીઆઈએસએફના જવાનોએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. ત્રણેય મજૂરોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય મજૂરો નકલી આધાર કાર્ડ બતાવીને ઉચ્ચ સુરક્ષાવાળા સંસદ ભવનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણેય મજૂરોના નામ કાસિમ, શોએબ અને મોનિસ છે, ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ વિદ્ધ આઈપીસીની અનેક ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના ૪ જૂને બપોરે ૧.૩૦ વાગ્યે સંસદ ભવનનાં ગેટ નંબર ૩ પર બની હોવાનું સુત્રોએ જણાવ્યું છે
ત્રણેયના આધાર કાર્ડ નકલી હોવાનું ખૂલ્યું
જયારે સુરક્ષાકર્મીઓએ એન્ટ્રી ગેટ પર તેનું આધાર કાર્ડ ચેક કયુ તો તેમને શંકા ગઈ. તપાસ બાદ જાણવા મળ્યું કે આધાર કાર્ડ પણ નકલી છે. જે બાદ ત્રણેય મજૂરોને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને બાદમાં ધરપકડ કરવામાં આવી હતી
સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસ અને સીઆરપીએફને
આ ઘટના બાદ સંસદભવનની સુરક્ષાની જવાબદારી સીઆરપીએફ અને દિલ્હી પોલીસને સોંપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ત્રણેય મજૂરોને સંસદ ભવન સંકુલની અંદર એમપી લોન્જના નિર્માણ કાર્ય માટે રાખવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech