અગાઉના મનદુઃખનો ખાર રાખીને વાડીનારના યુવાન ઉપર ત્રણ શખ્સો દ્વારા હુમલો

  • June 18, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા ઈબ્રાહીમભાઈ ઉમરભાઈ ભાયા નામના 25 વર્ષના મુસ્લિમ વાઘેર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા આદમ ઉર્ફે આદલો અલારખા સંઘાર, હનીફ મામદ સંઘાર અને ઈરફાન ઉર્ફે ગટુડો નામના શખ્સ સાથે અગાઉ બોલાચાલી થઈ હોય, તે દરમિયાન સોમવારે રાત્રિના સમયે મોટરસાયકલ લઈને ચક્કર મારી ઘરે પરત ફરતી વખતે આરોપીઓએ ફરિયાદી ઈબ્રાહીમભાઈને રસ્તામાં રોકી અને લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો.


આ હુમલામાં તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં આરોપીઓએ મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે વાડીનાર મરીન પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application