લોકસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે થનાર છે. રાજકોટમાં કણકોટ નજીક આવેલી ગવર્મેન્ટ કોલેજમાં મતગણના કેન્દ્ર છે. કાલે મતગણતરી સમયે શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પોલીસે પુખ્તા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. મતગણતરી કેન્દ્ર પર થ્રી લેયરમાં સુરક્ષા જાો રહેશે. પોલીસ કમિશનરથી હોમગાર્ડ સુધીના ૭૫૦થી વધુ સુરક્ષા કર્મીઓ મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફરજ પર તૈનાત રહેશે. આવતીકાલે સવારે ૪ વાગ્યાથી જ જેઓને ફરજની જે જવાબદારી સોંપાઈ છે ત્યાં હાજર થઈ જવાનું રહેશે.
મતગણતરી કેન્દ્ર પર ગોઠવાયેલા થ્રી લેયરમાં પ્રથમ લેયરની અંદર કેન્દ્રીય એજન્સીના જવાનો હશે. ત્યારબાદ બીજી લેયરમાં એસઆરપીના જવાનોનો બંદોબસ્ત રહેશે અને ત્રીજી લેયરમાં સ્થાનિક પોલીસનો જાો રહેશે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ચાર ડીસીપી, ૧૦ એસીપી, ૧૪ પીઆઈ, ૪૦ પીએસઆઈ અને ૪૫૦ પોલીસ કર્મીઓ સાથે એસઆરપીના ૪૦ જવાનો અને કેન્દ્રીય એજન્સીના ૨૦ જવાનો બંદોબસ્તમાં હશે.
આવતીકાલે વહેલી સવારે ૪ વાગ્યાથી જ તમામને બંદોબસ્તમાં પોતાની ફરજ સ્થળ પર આવી જવા માટે સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટે એક એસીપી, બે પીઆઈ, ૧૦ પીએસઆઈ, ટ્રાફિક પોલીસ, ૧૩૨ ટીઆરબી જવાનો તથા ૩૨ હોમગાર્ડ ખડેપગે રહેશે. મતગણતરી કેન્દ્ર ગવર્મેન્ટ કોલેજને જોડતા માર્ગને પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. મતગણતરી સાથે સંકળાયેલા કર્મચારીઓ, પોલીટીકલ પાર્ટીના મતગણતરી કેન્દ્રમાં જનારા કાર્યકર્તાઓ, અગ્રણીઓ કે જેઓને અગાઉથી પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે તે સિવાયના કોઈ વ્યકિતને પ્રવેશ આપવામાં આવશે નહીં. મતગણતરી કેન્દ્રની અંદર મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે આવા કોમ્યુનિકેશનના સાધનો લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. કેન્દ્ર કે કેન્દ્રની આસપાસ ધુમ્રપાન અને આવી વસ્તુઓ પર પ્રતિબધં મૂકવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech