તા.૧૩થી ૧પ સુધી રજાના આદેશ કરતાં જિલ્લા કલેકટર: શિક્ષકગણને હાજર રહેવા સૂચના
જામનગર શહેર અને જિલ્લામાં આવેલી જુદી જુદી શાળા કોલેજોમાં વહીવટી તંત્ર દ્વારા આજથી ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી દેવામાં આવી છે. સંભવિત વાવાઝોડાના પગલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં અને જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં અગાઉ સ્થાનિક લેવલે રજાઓ જાહેર કરાઈ હતી અને શિક્ષકગણે હાજર રહેવા તેમજ જરુર જણાય તકેદારીના પગલાં લઈને આશ્રય સ્થાનો તરીકે શાળા બિલ્ડિંગનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપી હતી. દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા આગામી તા.૧૩થી ૧પ ત્રણ દિવસ શાળા-કૉલેજોમાં રજાઓ જાહેર કરવામાં આવી છે.
જામનગર શહેર અને જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે સલામતીના ભાગરૂપે જામનગરના જિલ્લા કલેકટર બી.એ.શાહ દ્વારા તમામ શાળા કોલેજો માં રજા રાખવા માટેના આદેશો કરાયા છે, અને તારીખ ૧૩ જુન થી ૧૫ જૂન એમ ત્રણ દિવસ માટેની રજા જાહેર કરી છે. શહેરની સરકારી તેમજ ખાનગી શાળા કોલેજોમાં રજા રાખવા માટેના આદેશો કરી દેવાય પછી જે અંગેની તમામ શાળાઓમાં જાણ કરી દેવાઇ છે. જોકે શિક્ષક ગણને હાજર રહેવા પણ અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
July 03, 2024 04:39 PMવર્લ્ડ ચેમ્પિયન બનતાની સાથે જ હાર્દિક પંડ્યાને મળ્યા વધુ એક સારા સમાચાર
July 03, 2024 04:39 PMબસ આટલા જ સમયમાં ચેમ્પિયન્સ પહોંચી જશે ભારત
July 03, 2024 04:23 PMનાસભાગની ઘટનાઓ કેવી રીતે ટાળી શકાય?, જાણો નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની માર્ગદર્શિકા
July 03, 2024 04:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech