શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલ ભંગારના ડેલામાથીરૂપિયા ૬. ૯૦ લાખની કિંમતના તાંબા પિતળના ભંગારની ચોરી થયાની નોંધાયેલી ફરિયાદના પગલે બોરતળાવ પોલીસે ગણતરીના સમયમાંજ ચોરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. શહેરના વડવા નેરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વેપાર કરતા સોહિલભાઈ મજીદભાઇ માલકાણીએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ ગઇકાલે સવારે તેમની દુકાનનું શટર અડધુ ખુલ્લુ અને તાળુ તુટેલું હોવાનું તેમના પરિચિત રાજુભાઈ માલકાણીએ જણાવતા સોહિલભાઈ તેમની દુકાને ગયા હતા અને દુકાને પહોંચ્યા બાદ તપાસ કરતા. દુકાનમાં રાખેલા તાંબા - પિતળના પ્લાસ્ટીકના થેલા કુલ નં. ૧૭ કિ.રૂા. ૬, ૯૦, ૦૦૦ની કોઇ અજાણ્યા તસ્કરો ચોરી કરી નાસી છૂટ્યા હતા. સોહિલભાઇએ નોંધાવેલી ફરિયાદના પગલે બોરતળાવ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી ગણતરીના સમયમાંજ ચોરીમાં સંડોવાયેલા ઇમરાન મહેબુબ ભાઈ કુરેશી (રે.માઢિયાફળી, ડોડીયા પાન વાળો ખાંચો, ભાવનગર), મુજફર રજાક ભાઈ ચૌહાણ (રે. મોતી તળાવ, કુંભારવાડા, ભાવનગર) અને સાદીક ચાંદ ભાઈ સૈયદ(રે.અલકા ટોકીઝ પાસે, બોડિયા મહાદેવ વાળો ખાંચો, ભાવનગર)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech