મુસ્લિમ દેશ અબુ ધાબીના હિન્દુ મંદિરે રેકોર્ડ કર્યેા છે. એક મહિનામાં સાડા ત્રણ લાખ લોકોએ મંદિરના દર્શન કર્યા. આ મંદિર ૧ માર્ચથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. તે માર્ચમાં ૨૭ દિવસ સુધી ખુલ્લું હતું. દર સાહના અંતે લગભગ ૫૦,૦૦૦ લોકો દર્શન માટે આવતા હતા.સાડા ત્રણ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અબુ ધાબીમાં બનેલા પ્રથમ પથ્થરોથી બનેલા હિન્દુ મંદિરની મુલાકાત લોકો માટે ખુલ્યાના એક મહિનાની અંદર લીધી હતી. મંદિર સત્તાવાળાઓએ આ માહિતી આપી હતી. આ મંદિરનું ઉધ્ઘાટન વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરીમાં કયુ હતું. આ પ્રતિિત મંદિર ૧ માર્ચના રોજ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યું હતું. મંદિરના પ્રવકતાએ જણાવ્યું હતું કે, પ્રથમ મહિનામાં, લગભગ ૩,૫૦,૦૦૦ ભકતો અને મુલાકાતીઓ હતા, જેમાંથી ૫૦,૦૦૦ દર સાહના અંતે (શનિવાર–રવિવારે) આવ્યા હતા.તેમણે વધુમાં કહ્યું, 'એ નોંધવું મહત્વપૂર્ણ છે કે મંદિરમાં ખાનગી પ્રાર્થનાઓ થાય છે અને સોમવારે તે મુલાકાતીઓ માટે બધં રહે છે, જેનો અર્થ છે કે સંકુલ માર્ચમાં ૩૧માંથી ૨૭ દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લું હતું.' 'મંગળવારથી રવિવાર સુધી દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યે સ્વામિનારાયણ ઘાટના કિનારે ગંગા આરતી કરવામાં આવે છે, જે ભારતમાંથી લાવવામાં આવેલા ગંગા અને યમુનાના પવિત્ર જળનો ઉપયોગ કરીને કરવામાં આવે છે,' તેમણે કહ્યું.૧૪મી ફેબ્રુઆરીના રોજ ઉધ્ઘાટન થયું હતું
ભવ્ય મંદિરનું ઉધ્ઘાટન ૧૪ ફેબ્રુઆરીના રોજ ૫,૦૦૦ થી વધુ લોકો દ્રારા ઉપસ્થિત રહેલા ઉધ્ઘાટન સમારોહ દરમિયાન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્રારા દુબઈ–અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા નજીક અબુ મુરીખા ખાતે ૨૭ એકરમાં આશરે . ૭૦૦ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજસ્થાનથી લાવવામાં આવેલ ૧૮ લાખ ઈંટો અને ૧.૮ લાખ ઘન મીટર રેતીના પત્થરોથી બનેલ આ અબુધાબીનું પહેલું હિન્દુ મંદિર છે જે અયોધ્યાના રામ મંદિરની જેમ સ્થાપત્યની નાગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે.
ગલ્ફનું સૌથી મોટું મંદિર
બીએપીએસ હિંદુ મંદિર સમગ્ર ખાડી વિસ્તારમાં સૌથી મોટું છે. દુબઈ, યુએઈમાં અન્ય ત્રણ હિન્દુ મંદિરો છે. પ્રવકતાએ જણાવ્યું હતું કે, મંદિર સહેજ બહારની બાજુએ અને રણની મધ્યમાં હોવાથી, મુલાકાતીઓ સરળતાથી મંદિર સુધી પહોંચી શકે તે માટે શહેરમાંથી સાહના અંતમાં જાહેર બસ સેવા શ કરવામાં આવી છે, પ્રવકતાએ જણાવ્યું હતું.વડાપ્રધાન મોદીની ૨૦૧૫માં ગલ્ફ દેશની બે દિવસીય મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી હતી. આ મુલાકાતનું રાજદ્રારી મહત્વ હતું કારણ કે ૩૪ વર્ષમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ દેશની મુલાકાત લેનારા ઈન્દિરા ગાંધી પછી મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિઝબુલ્લાના નવા વડા બન્યા હાશેમ સફીદ્દીન, ભાઈ નસરાલ્લાહના મૃત્યુ પછી કમાન સંભાળશે
September 29, 2024 12:57 PMIIFA Award 2024: શાહરૂખ ખાનને 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ખિતાબ મળ્યો, 'એનિમલ' 5 એવોર્ડથી સન્માનિત
September 29, 2024 11:58 AMદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech