આઈટીઆઈના ત્રણ તાલીમાર્થીઓની દિલ્હી ખાતેની પ્રજાસત્તાક પરેડ માટે પસંદગી

  • January 02, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આઈ.ટી.આઈ.ના તાલીમાર્થી અને ૨૭-ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગરના ત્રણ કેડેટસની આગામી તા.૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાનાર પરેડ માટે પસંદગી કરાઈ છે.
આ માટે જાડેજા જયેન્દ્રસિંહ ઉમેદસંગ, સોનગરા મનીષ હીરાભાઈ અને જાડેજા મનદીપસિંહ ભગીરથસિંહ આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૪, પ્રજાસત્તાકદિન  પરેડમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહી જામનગર એનસીસીનું પ્રતિનિધિત્વ કરશે.આ પરેડમાં ભાગ લેવા જનાર કેડેટ્સને રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાન દ્વારા આયોજીત ભોજન સમારંભ માટે પણ નિમંત્રણ અપાયું છે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ કેડેટસને એન.સી.સી. પી.આઈ. સ્ટાફ, સીનીયર કેડેટ તથા લેફ્ટનન્ટ રમેશ જોષી એ સઘન તાલીમ આપી હતી.જેના કારણે તેઓની આ પસંદગી થતા સમગ્ર જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો થયો છે. આ તકે સંસ્થાના પ્રિન્સીપાલ જે.આર.શાહ, પ્રિન્સીપાલ આર.એસ.ત્રિવેદી તેમજ ૨૭-ગુજરાત બટાલિયન એનસીસીના કર્નલ મનીષ દેવરેએ કેડેટ્સને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application