વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરી યુવાનને ધમકી આપી

  • August 22, 2024 04:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિહોર તાલુકાના વળાવડ ગામમાં રહેતા યુવાને  પાંચ વર્ષ પૂર્વે ઘરેણાં ગીરવે મૂકી  રૂા.૫૦ હજાર વ્યાજે લીધા હતા અને તેના વ્યાજની ઉઘરાણી માટે આવેલા શખ્સે જાતી અંગે અમાનજકન શબ્દો કરી ટાંટીયા તોડી નાંખવાની ધમકી આપી જાનથી મારી નાંખીશ તેમ કહેતા સિહોર પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
ભરતભાઈ કાનજીભાઈ સોંદરવાએ  વાસણાનો વેપાર કરતા   વજુભાઈ કંસારા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેણે  પાંચ વર્ષ પૂર્વે  સોનાના ઘરેણાં  ગીરવે મુકી વજુભાઈ  પાસેથી રૂા.૫૦,૦૦૦ વ્યાજે લીધા હતા અને દર મિહને વ્યાજ પેટે રૂા.૨૫૦૦ નિયમીત ચૂકવતા હતા.
દરમિયાનમાં તેમની તબિયત સારી ન હોવાથી વ્યાજ નહીં આપી શકતા   આરોપી ફરિયાદીના ઘર પાસે આવ્યાં હતા. અને તેણે વ્યાજ ક્યારે ચૂકવીશ તેમ કહેતા ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા થશે એટલે ચૂકવી આપીશ તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ટાંટીયા તોડી નાંખીશ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે  સિહોર પોલીસે  ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application