ક્વોટામાં ક્વોટા અંગે સુપ્રીમના નિર્ણયથી નારાજ એક વ્યક્તિએ સીજેઆઈ ચંદ્રચુડને મારી નાખવાની ધમકી આપી હતી જેના લીધે તેની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના મધ્યપ્રદેશના બેતુલમાં બની છે. ક્વોટાના નિર્ણયથી નારાજ આ વ્યક્તિએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ક્વોટા પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ એક વ્યક્તિએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને મારી નાખવાની ધમકી આપી હતી. વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને સીજેઆઈને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે.હકીકતમાં, સુપ્રીમ કોર્ટે એસસી અને એસ ટીની અંદર સામાજિક અને આર્થિક રીતે વધુ પછાત જાતિઓ માટે ક્વોટાને મંજૂરી આપી છે. ઘણા રાજકીય પક્ષોએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. આ નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર પણ ચચર્િ ચાલી હી છે. આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના બેતુલના રહેવાસી પંકજ અતુલકરે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે તે સીજેઆઈ મારી નાખશે. કારણ કે તેમણે ’અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ગુલામ બનાવવાનો’ નિર્ણય આપ્યો છે, જે બંધારણનું ઉલ્લંઘન છે.બેતુલ પોલીસે જણાવ્યું કે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બેતુલ ગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રવિકાંત દહેરિયાએ જણાવ્યું હતું કે, ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. અને આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ છે.
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામતને લઈને મોટો નિર્ણય આપ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે ક્વોટાની અંદર ક્વોટાને મંજૂરી આપી છે.સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ઈવી ચિન્નૈયાના 2004ના ચુકાદાને ઉલટાવી દીધો હતો, જેમાં અનુસૂચિત જાતિમાં અમુક પેટાજાતિઓને વિશેષ લાભ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. 2004 માં, ઇવી ચિન્નૈયા વિરુદ્ધ આંધ્ર પ્રદેશ રાજ્યના કેસમાં પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો કે અનુસૂચિત જાતિ (જઈ) અને અનુસૂચિત જનજાતિ (જઝ) ના સભ્યો એક સમાન જૂથ છે, જેને આગળ કોઈપણ પેટા-માં વિભાજિત કરી શકાય નહીં. જૂથ અથવા વર્ગીકરણ જઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech