પોતાની માંગણીઓ પર અડગ રહેતા ખેડૂતોએ તેમની ભાવિ વ્યૂહરચના અંગે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કયુ હતું. ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જણાવ્યું કે ખેડૂતોનું એક જૂથ ૧૪ ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે. સર્વન સિંહ પંઢેરે કહ્યું, આજે અમે બંને ફોરમ વતી વડાપ્રધાનને પત્ર લખ્યો છે. આ બેઠકમાં અમે જે કાર્યક્રમો નક્કી કર્યા છે તેમાં દિલ્હી સુધી કૂચ અને ખનૌરી બોર્ડર પર આમરણાંત ઉપવાસનો સમાવેશ થાય છે. આ સિવાય અમે અમારી તમામ માંગણીઓ સામે રાખી છે. અમે ૨૦૧૩–૨૦૧૮માં તેમના કૃષિ મંત્રાલયનો પત્ર અને ડિસેમ્બર ૨૦૨૧નો પત્ર પણ જોડો છે.
તેમણે કહ્યું, અમે ખુદ વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે જો ખનૌરી બોર્ડર પર કોઈ જાન–માલનું નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. અમે સમગ્ર દેશની સામે અમાં વલણ રજૂ કયુ છે. અમે દેશની જનતાને અમારી તમામ માંગણીઓ વિશે જણાવવા માંગીએ છીએ.
ખેડૂત નેતાએ કહ્યું, સરકાર અમારા પર ડિજિટલ ઈમરજન્સી લાદવાનો પ્રયાસ કરી રહી છે. ખનૌરી બોર્ડર પર બે યુનિયનનું ઈન્ટરનેટ બધં કરવામાં આવશે તેવું સાંભળવામાં આવ્યું છે. ઈન્ટરનેટ બધં કરવાનો અર્થ એ છે કે બંને સરકારો ખેડૂત પર હત્પમલો કરવા માટે તૈયાર થઈ રહી છે. આ સિવાય અમે સમગ્ર દેશવાસીઓને ઉપવાસ કરવાનું આહ્વાન કયુ છે. આવતીકાલે અમારા આંદોલનને ૧૦ મહિના પૂર્ણ થશે.
શકય તેટલા ખેડૂત મજૂરોને ત્યાં પહોંચવા માટે પૂછતા પંઢેરે કહ્યું, આગળની મોટી વ્યૂહરચના નક્કી કરવા ઉપરાંત, ખેડૂતોનું એક જૂથ ૧૪ ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરશે, જેનું નેતૃત્વ જસવિંદર સિંહ લોંગોવાલ કરશે. યાં સુધી અમારી માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અડગ રહીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech