લોકો પોતાનું વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરતાં હોય છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે દવાઓ પણ લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, જૈન ધર્મમાં વજન ઘટાડવા માટેની પદ્ધતિઓ આધ્યાત્મિક અને આરોગ્યપ્રદ જીવનશૈલી સાથે જોડાયેલી છે. આ પદ્ધતિઓ શરીર અને મનના શુદ્ધિકરણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પદ્ધતિઓ એક સિમ્પલ અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ દોરી જાય છે, જે વજનને સંતુલિત રાખવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ કેટલીક પદ્ધતિઓ જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
ઉપવાસ:
જૈન ધર્મમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ હોય છે. ઉપવાસ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નિયમિત ઉપવાસ કે નિયત સમયે ખાવાથી વજન ઓછું થાય છે અને પાચનતંત્ર પણ સારું રહે છે.
સંયમિત આહાર:
જૈન ધર્મમાં અતિશય ખાવાનું ટાળવામાં આવે છે. તમે દરરોજ નિયત માત્રામાં, સાદું અને પૌષ્ટિક ખોરાકનું સેવન કરશો તો વજનને કંટ્રોલમાં રાખી શકશો.
સાંજનું ભોજન વહેવું લેવું:
જૈન લોકો માટે સાંજે વહેલું જમવું એ મહત્વપૂર્ણ હોય છે. રાત્રે ભોજન ટાળવાથી પાચન સુધરે છે અને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
આહાર:
જૈન લોકો દ્વારા અનુસરાતો શુદ્ધ શાકાહારી આહારમાં સામાન્ય રીતે ઓછું કેલરીયુક્ત હોય છે. આહારમાં ફળ, શાકભાજી, દાળ, અને અનાજ શરીરને હળવું રાખવામાં મદદ કરે છે.
પ્રાણાયામ અને ધ્યાન:
જૈન ધર્મમાં ધ્યાન અને પ્રાણાયામ પર ભાર મૂકવામાં આવે છે. આ પદ્ધતિઓ મનને શાંતિ આપે છે, તણાવ ઓછો કરે છે, અને શરીરના વજનને પણ નિયંત્રિત રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech