પોરબંદર જિલ્લામાં કેન્સરનું પ્રમાણ ખુબ વધારે છે ત્યારે સારવાર માટે લોકોને અમદાવાદ જવુ પડે છે પરંતુ હવે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડીયો થેરાપી સેન્ટરની સુવિધા શ કરવામાં આવશે. તેવી મહત્વની જાહેરાત ધારાસભ્યએ કરી છે.
પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર અને આસપાસના વિસ્તારની આરોગ્ય સેવાઓ સુધારવા માટે કામ કરી રહ્યા છે. જે અંતર્ગત તેમને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરની સારવાર માટે રેડિયોથેરાપી સેન્ટર મંજુર કરાવવામાં સફળતા મળી છે. આ રેડીયોથેરાપીનો સમાવેશ કેન્સરના રોગની સૌથી ઉત્તમ સારવાર પદ્ધતિઓમાં થાય છે. આ રેડિયોથેરાપીમાં કેન્સરના કોષોને મારવા માટે રેડિયેશનનો ઉપયોગ કેન્સરના મોટાભાગના પ્રકારની સારવારમાં થાય છે, જેનાથી કેન્સરના કોષોનો નાશ થાય છે, પરંતુ પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના વિસ્તારોમાં એકપણ સરકારી રેડિયોથેરાપી સેન્ટર ઉપલબ્ધ ન હોવાથી આ વિસ્તારોના કેન્સરના દર્દીઓએ રેડિયોથેરાપી માટે રાજકોટ અથવા અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડતા હતા. જે બાબત પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત તા. ૨૫/૦૫/૨૦૨૪ ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને રૂબરૂ મળીને પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ. આર. એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે ભાલમણ કરી હતી. પત્રમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ સૌથી વધુ છે. આ જિલ્લાઓના દરિયા કિનારાના તાલુકાઓની અંદાજે ૧૨ થી ૧૫ લાખ વસ્તી માટે નજીકના વિસ્તારમાં કેન્સરની સારવાર માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જેને ધ્યાનમાં લઈને પોરબંદર, દેવભુમિ દ્વારકા, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેન્સર દર્દીઓ માટે પોરબંદર જિલ્લાની જી.એમ.ઈ. આર.એસ. મેડિકલ કોલેજ સલગ્ન ભાવસિંહજી હોસ્પિટલ ખાતે રેડિયોથેરાપી સેન્ટર શ કરવામાં આવે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાની આ ભલામણના પગલે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ તેમજ આરોગ્ય કમિશ્નરને આદેશ આપ્યા છે કે ગુજતર કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર તથા જી.એમ.ઈ.આર.એસ. ના સી.ઇ.ઓ સાથે સંકલન કરીને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલમાં રેડિયોથેરાપી સેન્ટર શરૂ કરવા માટે યોગ્ય કાર્યવાહી શરૂ કરે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના આ આદેશ બાદ ટુંક સમયમાં પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા ઉપલબ્ધ બનશે.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા ના પ્રયત્નોના કારણે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓ માટે રેડિયોથેરાપી સેન્ટરની સુવિધા શરૂ થઈ જવા રહી છે, જેનો લાભ માત્ર પોરબંદર જિલ્લાને જ નહીં, પરંતુ દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના દર્દીઓને પણ મળશે, તેમજ આ ચાર જિલ્લાના કેન્સરના દર્દીઓને અમદાવાદ આવવા-જવાનો ખર્ચ બચી જશે અને અન્ય મુશ્કેલીઓ પણ વેઠવી નહીં પડે.
આ સુવિધાઓ આપવા બદલ પોરબંદરના સેવાભાવી આગેવાનો, ડોક્ટર મિત્રો અને સ્વૈછિક સંસ્થાઓએ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech