ધનતેરસે હરાજી પછી યાર્ડ બંધ થશે: લાભ પાંચમે મુહૂર્તના સોદા થશે
સૌરાષ્ટ્રમાં માવઠાને કારણે તમીલનાડુના વેપારીઓ મગફળીની ખરીદી કરવા જામનગર આવી શકયા ન હતાં અને મગફળીના માલનો ભરાવો થતાં હાપા માર્કેટીંગ યાર્ડમાં અઠવાડીયામાં ભાવમાં ા.500 સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો, આગામી દિવાળીના તહેવારોને ઘ્યાનમાં લઇને તા.30 ઓકટોબરથી 5 નવેમ્બર સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડમાં ા.2400 સુધીના ભાવે જીણી મગફળીના સોદા થયા હતાં અને ભાવ ા.1885 સુધી પહોંચી ગયો હતો, સામાન્ય રીતે જીણી મગફળીના ભાવ વધુ હોય છે, નોરતા દરમ્યાન તમીલનાડુના વેપારીઓ ખરીદી કરવા આવી શકયા ન હતાં, ત્યારબાદ વરસાદને કારણે તેના વતનમાં ચાલ્યા ગયા હતાં, તા.17ના રોજ 20 કિલો મગફળીનો ભાવ ા.2400 બોલાયો હતો અને તા.23ના રોજ થોડો ઉછાળો આવ્યો હતો અને ભાવ ા.2110 સુધી બોલાયો હતો.
હાલારમાં માવઠાને કારણે કેટલાક ખેડુતોની મગફળી પણ પલળી ગઇ હતી, જેના કારણે ખેડુતોને ભારે નુકશાન પણ થયું હતું અને તૈયાર થઇ ગયેલી મગફળી ભીની થઇ જતાં માર્કેટીંગ યાર્ડમાં વેંચાણ માટે ખેડુતો આવ્યા ન હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇન્ડિયા વીઆઈએક્સ આપી રહ્યું છે કંઈક મોટું થવાના એંધાણ
May 10, 2025 11:31 AMઇંગ્લેન્ડ આઈપીએલની યજમાની કરવા તૈયાર
May 10, 2025 11:29 AMમાવઠાથી પાકને થયેલ નુકસાનનો વળતર ચૂકવવા માંગ
May 10, 2025 11:26 AMજી-7 દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી: ભારત- પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ કરી
May 10, 2025 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech