શહેરમાં છેલ્લા થોડા સમયથી ખાના ખરાબીના કિસ્સા જોવા મળી રહ્યા છે નજીવી બાબતે હુમલા અને વાહનો સળગાવવાના બનાવો સામે આવી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા વડવા વિસ્તારમાં વાહનો સળગાવ્યાનો બનાવ તરોતાજા છે. ત્યા વિદ્યાનગરમાં ગત મોડીરાત્રીના ત્રણ શખસે સોસાયટીમાં પાર્ક કરેલી ત્રણ કાર ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી દીધી હતી. સોસાયટીની સામે ઉભા રહેતા શખસોને ઉભા રહેવા બાબતે ટપારતા શખસોએ આતંક મચાવ્યો હતો. જેને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી અને મામલો પોલીસ મથક પહોંચ્યો હતો.
શહેરના વિદ્યાનગર વિસ્તારના આશીર્વાદ, અનંત કો. ઓપરેટીવ સોસાયટીમાં રહેતા અને અલંગનો વ્યવસાય કરતા ચિંતનભાઈ જયેન્દ્રભાઈ શાહે નિલમબાગ પોલીસ મથકમાં લવલી હિંમતભાઈ વાઘેલા, અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજ અશોકભાઈ બોરીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત રાત્રીના તેના ઘર સામે ત્રણ ચાર શખસો ઉભા રહેતા હોય જેથી સાહેદ હરદેવસિંહ રાઠોડે શખસોને તમે તો અહિયા ઉભા નહી રહો તેમ કહેતા શખસોએ અમે તો અહિયા ઉભા રહેશુ તમારે અમને કાઈ નહી કહેવાનું તેમ કહી અપશબ્દો આપ્યા હતા. બાદ તમે અહિ કેમ રહો છો તે અમે જોઈ લેશુ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તમારા વાહનો સળગાવી દેશુ તેવી ધાક ધમકી આપી તેઓને એક શખસે ઢીંકાપાટુનો માર માર્યો હતો.
દરમિયાન રાત્રીના બેથી ત્રણ વાગ્યાના અરસા દરમિયાન ઉક્ત શખસો સોસાયટીમાં આવી તેઓની સોસાયટીમાં પાર્ક કરી રાખેલી તેઓની હાઈકોસ નંબર જીજે. ૦૪.ઈપી-૦૦૧૬, ડો. જગદિશસિંહ ફતેસિંહ રાણાની હોન્ડા સીટી જીજે. ૦૪. એપી-૮૧૯૭ અને જગદિશસિંહના પત્ની કુમુદીનીબાની માલીકીની સેવરોલેટ જીજે. ૦૪. એપી- ૩૯૯૭ ઉપર જવલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી નાસી છુટયા હતા. દરમિયાન સીસીટીવી તપાસતા અને આજુબાજુના લોકોની પુછપરછ કરતા ઉક્ત ત્રણેય શખસ હોવાનું જાણવા મળ્યુ હતુ. શખસોના મોડીરાત્રીના આંતકને લઈ સ્થાનિક લોકોમાં ગભરાહટ ફેલાઈ જવા પામ્યો હતો. અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ઉક્ત ફરિયાદ અનુસંધાને નિલમબાગ પોલીસે ત્રણેય શખસ સામે બીએનએસ એક્ટ ૩૨૪(૫), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૩૫૧(૩), ૩(૫), ૫૪, મુજબ ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : હોટલમાં જમતી વેળાએ કેરીના રસમાંથી વંદો નીકળ્યો
May 20, 2025 05:26 PMવાળને નેચરલી બ્લેક કરવા માટે, મહેંદીમાં મિક્સ કરો આ 3 વસ્તુઓ
May 20, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech