ઉનાળામાં ડુંગળી ખાવાથી થઇ શકે છે આટલા ફાયદા

  • May 29, 2024 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળામાં ડુંગળીનું સેવન અવશ્ય કરવું જોઈએ. ડુંગળી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણી રીતે ફાયદાકારક છે. ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે ખાસ કરીને ઉનાળામાં ડુંગળી ખાવાથી હીટ સ્ટ્રોકથી બચાવ થાય છે. કેટલાક લોકો એવું પણ માને છે કે ખિસ્સામાં ડુંગળી રાખવાથી હીટસ્ટ્રોકથી બચી શકાય છે. જો કે સત્ય એ છે કે ડુંગળીને ખિસ્સામાં રાખવાને બદલે કાચી કે પકાવીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.


ડુંગળી ખાવાના ફાયદા


ડુંગળીમાં સલ્ફર જોવા મળે છે, જેના કારણે તે તીવ્ર ગંધ ધરાવે છે. તે ખોરાકનો સ્વાદ વધારે છે. ડુંગળીમાં ક્વેર્સેટીન નામનું સંયોજન જોવા મળે છે. તે કુદરતી એન્ટિ-હિસ્ટામાઇન એજન્ટ છે. જે શરીરમાં હાજર હિસ્ટામાઇન સામે કામ કરે છે. ઉનાળાના કારણે ત્વચામાં ફોલ્લીઓ અને બળતરાની લાગણી થાય છે. આ હિસ્ટામાઇનની અસરને કારણે થાય છે. આ અસરને ઘટાડીને ડુંગળી ગરમીમાં રાહત અપાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે.


કાચી ડુંગળીમાં પર્યાપ્ત માત્રામાં પાણી હોય છે, જેના કારણે કાળઝાળ ગરમીમાં શરીરનું હાઇડ્રેશન જળવાઈ રહે છે.


ઉનાળામાં ખાવાની વસ્તુઓ ઝડપથી બગડી જાય છે અને તેનું સેવન કરવાથી આંતરડા પર ખરાબ અસર પડે છે. ત્યારે કાચી ડુંગળી ખાવાથી આંતરડામાં સારા બેક્ટેરિયા જળવાઈ રહે છે અને પેટની ઠંડક જળવાઈ રહે છે.


તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે અને એલર્જીના લક્ષણો ઘટાડે છે.


ડુંગળીનો રસ સનસ્ટ્રોક અને સનબર્નથી પણ બચાવી શકે છે.


એક રિસર્ચ અનુસાર વિટામિન સીથી ભરપૂર કાચી ડુંગળી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. તેને આહારના આવશ્યક ભાગ તરીકે સલાડમાં ખાવું જોઈએ. કાચી ડુંગળીમાં પોટેશિયમ અને સોડિયમની પૂરતી માત્રા મળી આવે છે, જેના કારણે શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સનું પ્રમાણ સંતુલિત રહે છે અને ઉનાળામાં ડિહાઈડ્રેશનની સમસ્યા ઊભી થતી નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application