ગોંડલ રોડ પર આવેલા મોટરકારના શોમના વર્કશોપમાંથી તસ્કરો પિયા ૧.૬૦ લાખનો સામાન ચોરી કરી ગયા અંગે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીની આ ઘટનામાં બે સગીરોની શંકાસ્પદ ભૂમિકા જણાતા પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં એસટી વર્કશોપ પાછળ ગીતાનગર શેરી નંબર ૪ માં રહેતા અરવિંદસિંહ ચંદસિંહ સિંધી (ઉ.વ ૩૮) દ્રારા માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ગોંડલ રોડ પર આવેલા પ્રોગ્રેસિવ મોટર પ્રા.લી કંપનીમાં વર્કશોપ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે.
ગત તારીખ ૧૮૮ ૨૦૨૦ ના સવારના દસેક વાગ્યે આસપાસ તેઓ અહીં નોકરી હતા ત્યારે મોરબી મહાનગરપાલિકાની જેસીબી મશીન અને રીપેરીંગ અર્થે આવ્યું હતું. બાદમાં કારીગરે જેસીબી મશીનમાં સ્પેરપાર્ટ કલચ પેક નંગ–૪ તથા બીજા સ્પેરપાર્ટ ખોલી વર્કશોપના સ્ટોર મમાં રીપેરીંગ કરવા માટે રાખ્યા હતા રવિવાર હોય જેથી વર્કશોપ ૧૨:૩૦ વાગ્યે બધં કરી તેઓ જતા રહ્યા હતા.
બાદમાં તારીખ ૧૦૯૨૦૨૪ ના સવારના સુમારે વર્કશોપના જનરલ મેનેજર અમિત ગુહા નિખિલ પરમાર રજત ધોળકિયા અને આરીફ તથા સ્ટાફના માણસો અહીં સ્ટાફ સાથે હાજર હતા ત્યારે જેસીબી મશીનના જે સ્પેરપાર્ટ શો મમાં રાખેલા હતા તે જોવા મળ્યા ન હતા કોઈએ દરવાજો તોડી, શો મમાં આગળની લોખંડની શટરની જાળીના દરવાજાનું તાળું તોડી જેસીબી મશીનના સ્પેરપાર્ટ કલચપેક નગં ચાર કિંમત પિયા ૧.૬૦ લાખની ચોરી કરી હોવાનું માલુમ પડું હતું. જેથી આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
બનાવને લઈ માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈની રાહબરીમાં પીએસઆઇ એસ.એ.સિંધી તથા સ્ટાફે તપાસ શ કરી હતી. આ ચોરીમાં બે સગીરની શંકાસ્પદ ભૂમિકા જણાતી હોય પોલીસે તેની પૂછપરછ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech