સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ગેઇટ પાસે નીલસિટી પાસે આવેલી સંજય વાટિકા સોસાયટીમાં વિપ્ર પરિવારના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી ૩૧ તોલા સોનુ અને પિયા ૮૫ હજાર રોકડ સહિતની મત્તાની ચોરી કરી ગયા હતા. જે અંગેની જાણ પરિવારને થયા બાદ પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમ અહીં દોડી આવી તપાસનો ધમધમાટ શ કર્યેા હતો. વિપ્ર પરિવાર પુત્રની સગાઈ માટે પોરબંદર ગયો હતો દરમિયાન તેમના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગે પોલીસે પિયા ૧૩.૨૫ લાખની ચોરી અંગેનો ગુનો નોંધી તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો મુજબ, નીલસિટી પાસે આવેલી સંજય વાટીકા સોસાયટી શેરી નંબર ૭ મહાદેવ હાઉસ બ્લોક નં.૮૫ માં રહેતા શીતલબેન મનોજભાઈ સાણથરા(ઉ.વ ૪૬) દ્રારા ચોરીના બનાવને લઈ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
શીતલબેને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, અહીં મકાનમાં તે તથા તેમનો પુત્ર રહે છે. યારે પતિ મનોજભાઈ હાલ દુબઈમાં નોકરી કરતા હોય જેથી તે ત્યાં રહે છે અને પ્રસંગોપાત અહીં ઘરે આવતા હોય છે. મહિલાના પુત્રનું સગપણ પોરબંદરમાં નક્કી કયુ હોય અને ગત તા. ૮ ના રોજ તેની સગાઈ હોય તેથી પતિ મનોજભાઈ હાલ રાજકોટ આવ્યા હતા.
તારીખ ૮૪ ના પરિવાર અહીં મકાનને તાળા મારી પોરબંદર સગાઈ પ્રસગં માટે ગયો હતો અને સગાઈ પ્રસગં પૂરો કર્યા બાદ રાત્રીના પરિવાર ઘરે આવતા મકાનના તાળા તૂટેલા હોય અંદર જઈ જોતા સામાન વેરવીખેર થઈ ગયો હોય ચોરી થયાનું માલુમ પડું હતું. બાદમાં તપાસ કરતા માલુમ પડું હતું કે, તસ્કરો ઘરની દિવાલ કુદી બાલ્કનીમાંથી શટ્ટર ખોલી મમાં પ્રવેશ કરી મનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા બાદ કબાટના તાળા તોડી કબાટમાં રહેલ સોનાના દાગીના ૩૧ તોલા કિંમત પિયા ૧૨.૪૦ લાખ અને રોકડ પિયા ૮૫ હજાર સહિત કુલ પિયા ૧૩.૨૫ લાખની મત્તા ચોરી કરી ગયા હતા. જેથી તેમણે તુરતં આ બાબતે પોલીસને જાણ કરી હતી.
ચોરીના આ બનાવને લઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાકીદે અહીં પહોંચી ગઈ હતી અને તપાસ શ કરી હતી જો કે, મકાનમાં સીસીટીવી ફટેજ ન હોય પોલીસે આસપાસના સીસીટીવી ફટેજના આધારે તસ્કરોના સગડ મેળવવા તપાસમાં ધમધમાટ શ કર્યેા છે.બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એન.આઇ.રાઠોડના માર્ગદર્શનમાં પીએસઆઇ સી.એસ.જાદવ તથા ટીમે તપાસનો ધમધમાટ શ કર્યેા છે
સોનાનો ભાવ બજાર કિંમતે ગણાય તો આંકડો ૨૩.૭૯ લાખ થાય
નીલસિટી પાસે આવેલી સંજય વાટિકામાં વિપ્ર પરિવારના બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રોકડ ૮૫ હજાર અને ૩૧ તોલા સોનાના દાગીના ચોરી કરી ગયાની ઘટના બની છે.આ ચોરીમાં પોલીસે સોનાની કિંમત એક તોલાની .૪૦ હજાર ગણી છે જે મુજબ ચોરીનો આંકડો .૧૩.૨૫ લાખ દર્શાવ્યો છે. પણ આજની તારીખે સોનની કિંમત એક તોલાની રૂા.૭૪ હજાર છે જો આજની કિંમત મુજબ સોનાની કિંમત ગણવામાં આવે તો ચોરીનો આંકડો .૨૩.૭૯ લાખ થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech