રેલનગરમાં શાંતિ કુંજ રેસીડેન્સીમાં બધં મકાનમાંથી રૂા.૯૧ હજારની ચોરી

  • April 13, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રેલનગર વિસ્તારમાં આવેલા શાંતિ કુંજ રેસીડેન્સીમાં બધં મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી રોકડ અને દાગીના સહિત .૯૧,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા જે અંગે પ્રાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ બંગલો મેઇન રોડ પર શાંતિકુંજ રેસીડેન્સીમાં રહેતા ભાવનાબેન કિશોરભાઈ નિમાવત(ઉ.વ ૪૫) દ્રારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ પુત્રી છે અને અહીં મકાનમાં તે તથા તેમના પતિ રહે છે. ગત તારીખ ૩૧૩૨૦૨૪ ના ફરિયાદીના માતા જશુબેનનું અવસાન થયું હોય જેથી તેઓ ગુંદાસરા ગામે ગયા હતા અને તારીખ ૧૧૪ ના સાંજના પાંચેક વાગ્યે આસપાસ ઘરને તાળું મારી ચાવી બાજુમાં રહેતા જમાઈ ભાવેશભાઈ પરમારને આપી તેમના પતિ પણ અહીં ગુંદાસરા આવી ગયા હતા.
બાદમાં ગઈકાલ સાંજના જમાઈ ભાવેશભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારા માતા ભારતીબેનનો મને ફોન આવ્યો છે અને તેમને કહ્યું છે કે, તમારા ઘરની લાઈટ ચાલુ છે. જેથી આ બાબતે મહિલાએ પતિને પૂછતા તેમને કહ્યું હતું કે તેઓ તાળું મારી અને લાઈટ બધં કરીને આવ્યા હતા.બાદમાં વેવાણ ભારતીબેનને તપાસ કરવાનું કહેતા ઘર ખુલુ હોય અને સામાન વેરવિખેર હોય ચોરી થયાનું સ્પષ્ટ્ર થયું હતું. બાદમાં ફરિયાદીના પતિ તથા જમાઈ ગુંદાસરથી અહીં રાજકોટ આવી ગયા હતા અને ઘરમાં આવી તપાસ કરતા માલુમ પડું હતું કે, તસ્કરોએ તિજોરીમાં રહેલ ચાર સોનાની બંગડી, એક જોડી સોનાના બુટીયા, ચાંદીના સિક્કા અને રોકડ પિયા ૩૦,૦૦૦ મળી કુલ પિયા ૯૧,૦૦૦ ની મત્તા ચોરી કરી ગયા હતા. જેથી આ અંગે તેમણે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application