ભાવનગર શહેરના સીદસર રોડ જગદીશ્વર પાર્કમાં રહેણાંકી મકાનમાં ચોરીની ઘટના બની હતી. જગદીશ્વર પાર્કમાં રહેતો પરિવાર ઉપરના રાત્રીના ઉપરના રૂમમાં સુતા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તાળું તોડી નીચેના રૂમમાં પ્રવેશી અને ઘરમાં રખાયેલા સોના ચાંદીમાં દાગીના અને રોકડ સહીતની મત્તા ઉઠાવી નાસી છૂટ્યા હતા. ચોરીની ઘટના અંગે પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.
શિયાળો પોતાના અસલ રંગમાં જામી ગયો છે. જેને લઇ રાત્રીના સમયે રોડ સુમસાન બની જાય છે. જાણે કુદરતી કર્ફ્યુ હોય તેવો માહોલ સર્જાઈ છે. તેવામાં મોટાભાગના નિશાચરો સક્રિય બનતા હોય છે. જેનો લાભ લઇ તસ્કરો બંધ મકાન અથવા તો કોઈ હાજર ન હોય તેવી જગ્યાઓને નિશાન બનાવી ચોરીને અંજામ આપે છે. ત્યારે ભાવનગર શહેરના સીદસર રોડ પર આવેલા એક મકાનમાં ચોરીની ઘટના બની છે. બનાવની મળતી વિગતો અનુસાર શહેરના સીદસર રોડ પર આવેલા જગદીશ્વર પાર્કમાં રહેતા અતુલભાઈ ત્રિવેદી પોતાના પરિવાર સાથે રહે છે. જેઓ પરિવાર રાત્રીના સમયે પોતાના નીચેના રૂમમાં તાળું મારી અને ઉપર સુવા જાય છે. તેવામાં ગત મોડીરાત્રે અજાણ્યા શખ્સો મોકાનો લાભ લઇ પરિવાર સૂતો હતો. તે દરમિયાન પોતાની કળા આજમાવી અને પરિવાર ઉપરના રૂમમાં સુતા હોવા છતાં નીચેના રૂમના tala૬તોડી ગેરકાયદે મકાનમાં પ્રવેશી અને કબાટ સહીતની જગ્યાઓ પર રખાયેલા દાગીના ઉઠાવી નાસી ગયા હતા. અજાણ્યા તસ્કરો સોનાની ચૂક, ચાંદીનું નાળિયેર, લક્કી, વીંટી અને અંદાજે રૂપિયા ૭૦૦૦ જેવી રોકડ રકમ લઇને ફરાર થયા હતા. જયારે અતુલભાઈ અને પરિવારજનો સવારે જાગી તપાસ કરરા ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડતા પોતાના ઘરે ચોરી થયાની ઘટના અંગે પોલીસને જાણ કરાઈ હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી સહીતની તપાસ હાથ ધરી હતી.
શિયાળાની સીઝન વધવા સાથે જ તસ્કરો બેફામ બનતા હોય છે. શહેર જિલ્લામાં અનેક ચોરીની ઘટના બની હોય તેવા કેસ સામે આવે છે. સિહોર અને સણોસરા તેમજ શહેરના અનેક વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ મથામણ કરી રહી છે. તેવા વધુ ચોરીની ઘટના બનતા લોકો દ્વારા સઘન પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech