મોરકંડા પાટીયા પાસે યુવાને ઝેર પી વાહન નીચે પડતુ મુકયું

  • January 10, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માનસિક અસ્થિરતા-મેલી વિધા હેરાન કરે છે તેવા રટણના કારણે પગલુ ભર્યુ

 જામનગરમાં મયુર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા એક યુવાને માનસિક અસ્થિરતાના કારણે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. કોઈ મેલી શક્તિ હેરાન કરે છે, તેવી વાતો કર્યા પછી મોડી રાત્રે પોતાનું ઘર છોડી દઇ મોરકંડા ગામના પાટીયા પાસે ઝેર પી બાદમાં વાહન નીચે પડતુ મુકીને પગલુ ભરી લેતાં  શોકનુ મોજુ ફરી વળ્યું છે.
જામનગરમાં મયુર ટાઉનશિપ શેરી નંબર -૧ માં મકાન નંબર -૩ માં રહેતા પ્રવિણકુમાર નાનજીભાઈ વેકરીયા નામના ૪૨ વર્ષના યુવાને પોતાના ઘેરથી બહાર નીકળી જઇ મોરકંડા  ગામના પાટિયા પાસે ઝેરી દવા પી લીધા બાદ રોડ પર જતા અજાણ્યા વાહન નીચે પડતુ મુકી પોતાની મેળે આપઘાત કરી લીધો હતો.
 આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભગવાનજીભાઈ નાનજીભાઈ વેકરીયા એ પોલીસને જાણ કરતાં પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા છ મહિનાથી માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો, અને પોતાને કોઈ મેલી શક્તિ હેરાન કરે છે, તેવી વાતો કર્યા કરતો હતો. દરમિયાન ગઈકાલે રાતે પોતાનો મોબાઈલ ઘરમાં રાખીને મોટરસાયકલમાં બહાર નીકળી ગયો હતો, અને જામનગર રાજકોટ રોડ પર મોરકંડા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધા બાદ વાહન નીચે પડતુ મુકતા તેનું મૃત્યુ નીપજ્યું છે. આ અંગેની વિગતોના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવીછે. બનાવના પગલે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application