નવાગામ ઘેડમાં ગળાફાંસો ખાઇ યુવાને જીવાદોરી ટુંકાવી

  • March 22, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કારણ જાણવા માટે પોલીસની તપાસ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તાર સરસ્વતી સોસાયટીમાં રહેતા એક યુવાને અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા ભુપતભાઇ કારાભાઇ કંટારીયા (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર પંખામાં દોરડા વડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે ભરત કારાભાઇ કંટારીયાએ સીટી-બી પોલીસમાં જાણ કરતા પોલીસ ટુકડી દોડી આવી હતી અને બનાવ પાછળનું કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application