વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી 'લૂંટાયેલા' અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) દ્રારા જ કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ વાત કહી છે.
પીએમ મોદીએ રાજમાતા સાથે વાતચીતમાં કહ્યું, હત્પં કાયદાકીય સલાહ લઈ રહ્યો છું. ઇડીએ પશ્ચિમ બંગાળમાં ૩૦૦૦ કરોડ પિયા જ કર્યા છે, આ ગરીબોના પૈસા છે. કોઈએ શિક્ષક બનવા માટે પૈસા ચૂકવ્યા, તો કોઈએ કારકુન બનવા માટે પૈસા ચૂકવ્યા. હત્પં કાનૂની સલાહ લઈ રહ્યો છું. મારી ઈચ્છા છે કે નવી સરકાર બનતાની સાથે જ કાયદાકીય જોગવાઈઓ કરવી પડશે, નિયમો બનાવવા પડશે, હત્પં ગરીબ લોકોને આ ૩૦૦૦ કરોડ પિયા પરત કરવા માંગુ છું. બંગાળની જનતા વિશ્વાસ કરે કે ઇડીએ જે ૩૦૦૦ કરોડ પિયા જ કર્યા છે તેને પરત કરવાનો હત્પં કોઈને કોઈ રસ્તો શોધી લઈશ.
વડા પ્રધાન અને રોય વચ્ચેની વાતચીતની વિગતો આપતા, પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાનનો અંદાજ છે કે રાયમાં નોકરીઓ મેળવવા માટે લાંચ તરીકે આપવામાં આવેલી રકમ લગભગ ૩,૦૦૦ કરોડ પિયા હતી. મોદીએ રોયને તેના વિશે લોકોને જણાવવા કહ્યું છે. તેમણે કહ્યું કે સત્તામાં પાછા ફર્યા બાદ તરત જ તેઓ લોકોના પૈસા પાછા આપવાનો રસ્તો શોધી લેશે. વડાપ્રધાને કહ્યું કે જો જર પડશે તો કાયદાકીય વિકલ્પો પણ શોધવામાં આવશે.
મોદીએ ભ્રષ્ટ્રાચારના કેસમાં ઇડી દ્રારા ધરપકડ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ટેકો આપવા બદલ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જેમણે આમ આદમી પાર્ટી વિદ્ધ ફરિયાદ કરી હતી તેઓએ હવે પોતાનું વલણ બદલી નાખ્યું છે. આ દર્શાવે છે કે તેમની પ્રાથમિકતા દેશ નહીં પરંતુ સત્તા છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન યુવાનોના ઉવળ ભવિષ્ય માટે, ભ્રષ્ટ્રાચાર મુકત દેશ માટે લડી રહ્યું છે યારે તમામ ભ્રષ્ટ્રાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
રોય ૧૮મી સદીના સ્થાનિક રાજા કૃષ્ણચદ્રં રોયના પરિવારના છે. ભાજપે તેમને તેના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી બ્રિટિશરોને કથિત રીતે સમર્થન આપવા બદલ શાહી પરિવારને નિશાન બનાવનારાઓ પર પણ મોદીએ વળતો પ્રહાર કર્યેા હતો. રોયે મોદીને કહ્યું કે તેમના પરિવારને 'દેશદ્રોહી' કહેવામાં આવે છે. તેમણે કહ્યું કે કૃષ્ણચદ્રં રોયે લોકો માટે કામ કયુ હતું અને 'સનાતન ધર્મ' બચાવવા માટે અન્ય રાજાઓ સાથે હાથ મિલાવ્યા હતા. આવા આરોપોથી પરેશાન ન થાઓ. તેમણે કહ્યું કે તેઓ (તૃણમૂલ) વોટ બેંકની રાજનીતિ કરે છે અને તમામ પ્રકારના વાહિયાત આરોપો લગાવશે. વિપક્ષી પાર્ટીઓ તેમના પાપ છુપાવવા માટે આવું કરે છે. વડાપ્રધાને વધુમાં કહ્યું કે એક તરફ તેઓ ભગવાન રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવે છે તો બીજી તરફ તેઓ બીજાને બદનામ કરવા માટે બે અને ત્રણ સદી જૂની ઘટનાઓને ટાંકે છે. કૃષ્ણચદ્રં રોય દ્રારા સામાજિક સુધારણા માટે કરવામાં આવેલા કામની પ્રશંસા કરતી વખતે મોદીએ વિપક્ષને ટાંકીને કહ્યું કે, આ તેમના બેવડા ધોરણો છે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યેા કે પશ્ચિમ બંગાળના લોકો પરિવર્તન માટે મત આપશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech