એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર થઈ :વડાપ્રધાન

  • April 26, 2023 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તમિલ સંગમ કાર્યક્રમનું સમાપન:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી રૂપાલા, મુરગન, મીનાક્ષી લેખી, ઝારખંડના રાજ્યપાલ, તાંજોરના મહારાજા અને ગુજરાતના અનેક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા





સૌરાષ્ટ્ર તમિલનાડુના સદીઓ જુના સબંધ અને ભૂતકાળ સાથે જોડતા વર્તમાનની ઉજવણી સમાન સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમાપન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પના સાકાર થઈ રહી છે. અનેકતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી તે સિદ્ધ થયો છે.



સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,કેન્દ્રીય મંત્રીઓ પુરુષોત્તમ રૂપાલા, એલ. મૂર્ગન,મીનાક્ષી લેખી, ઝારખંડના રાજ્યપાલ રાધાકૃષ્નન, તાંજોરના મહારાજા બાબાજી રાજસાહેબ ભોંસલે, ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ પર આક્રમણ વખતે અહીંથી જ દરિયાઈ માર્ગે હીજરત કરીને તામિલનાડુ જનાર સૌરાષ્ટ્રીયનોને તામિલનાડુના તત્કાલીન તાંજોર રાજ્યના રાજવીએ આશરો આપીને વસાવ્યા હતા અને આજના કાર્યક્રમમાં તાંજોરના મહારાજાની ઉપસ્થિતિ મહત્વની બની રહી હતી. તારીખ 17 એપ્રિલ થી શરૂ થયેલ આ કાર્યક્રમનું આજે સમાપન થયું છે. તામિલનાડુથી આવેલા સૌરાષ્ટ્રના આ લોકોએ સોમનાથ ઉપરાંત પોરબંદર દ્વારકા રાજકોટ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application