કામ કરતા લોકોની સરખામણીમાં બેરોજગારોમાં હાર્ટ એટેકનું જોખમ વધારે છે. આ લોકો આગામી ૧૦ વર્ષમાં હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકે છે. ક્રીઓ કરતાં પુષોમાં હૃદયની બિમારીનું જોખમ વધુ હોય છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને દિલ્હી એઈમ્સના સંયુકત મેડિકલ અભ્યાસમાં આ માહિતી સામે આવી છે, જે ઈન્ડિયન જર્નલ આફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત કરવામાં આવી છે.
દેશમાં પ્રથમ વખત, નોન–લેબોરેટરી રિસ્ક ચાર્ટનો ઉપયોગ કરીને, આઈસીએમઆર સંશોધકોએ યુવા વસ્તીમાં કાર્ડિયોવેસ્કયુલર રોગો (સીવીડી) નું ચોક્કસ જોખમ નક્કી કયુ છે. જેમાં જાણવા મળ્યું છે કે દેશની લગભગ ૧૫ ટકા વસ્તી આગામી ૧૦ વર્ષમાં એટલે કે ૨૦૩૪ સુધીમાં સીવીડીથી પ્રભાવિત થઈ શકે છે. જોકે, રાહતની વાત એ છે કે લગભગ ૮૫ ટકા વસ્તી આ જોખમમાંથી બહાર છે.
આઈસીએમઆરના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિકસ એન્ડ રિસર્ચ, બેંગ્લોરના ડિરેકટર ડો. પ્રશાંત માથુરે જણાવ્યું હતું કે ભારતમાં કાર્ડિયોવેસ્કયુલર રોગો સામાન્ય છે અને ઉચ્ચ જોખમ ધરાવતા લોકોની વહેલી શોધ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના નોન–લેબોરેટરી રિસ્ક ચાર્ટનો ઉપયોગ કરીને ભારતમાં ૪૦ થી ૬૯ વર્ષની વયના ૪,૪૮૦ લોકો પર પ્રથમ વખત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસ મુજબ, જે લોકોના ઉપવાસમાં લોહીમાં ગ્લુકોઝનું સ્તર અનિયંત્રિત રહે છે, તેમાંથી લગભગ ૨૫% એટલે કે દર ચોથા દર્દીને સીવીડીનું જોખમ વધારે છે. મેદસ્વી લોકોમાં આ ૧૮% જોખમ થઈ શકે છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આગામી ૧૦ વર્ષમાં કાર્ડિયોવેસ્કયુલર રોગના ખૂબ ઓછા, મધ્યમ અને ઉચ્ચ જોખમનું પ્રમાણ અનુક્રમે ૮૪.૯, ૧૪.૪ અને ૦.૭ ટકા છે. આમાં ૩૪૮ બેરોજગાર લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી ૪.૫ ટકાને આગામી ૧૦ વર્ષમાં હાર્ટ એટેક આવવાનું ખૂબ જ ઐંચું જોખમ હોવાનું જણાયું હતું, યારે લગભગ ૧૨ ટકા કામ કરતા લોકોમાં મધ્યમ જોખમ હોવાનું જણાયું હતું.
દિલ્હી એઈમ્સ અને આઈસીએમઆરના કોમ્યુનિટી મેડિસિન વિભાગના આ અભ્યાસમાં સંશોધકોએ શહેરી વિદ્ધ ગ્રામીણ વસ્તીના આધારે આગામી ૧૦ વર્ષમાં હાર્ટ એટેકના જોખમોનું પણ મૂલ્યાંકન કયુ છે. આ મુજબ, ગંભીર જોખમ શહેરી વસ્તીમાં સૌથી વધુ છે. લગભગ ૧૭.૫% શહેરી વસ્તીને સીવીડીનું મધ્યમથી ગંભીર જોખમ હોવાનું જણાયું હતું, જેની સરખામણીએ ગ્રામીણ વસ્તીના લગભગ ૧૩.૮% હતા. ગામડાઓ અથવા નાના શહેરોમાં લગભગ ૮૬.૨% લોકો હૃદય સંબંધિત રોગોના જોખમથી મુકત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech