આટકોટમાં નવા બસ સ્ટેશન પાસે ભૂગર્ભ ગટરનું કામ ખાડા ખોદીને અટકી ગયું

  • February 22, 2024 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આટકોટ ગાયત્રીનગરમાં વિસ્તારમાં બસ સ્ટેશન પાસે ગટરનું ખોદાણને પંદર દિવસ થયા છતાં કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે.
આટકોટમાં આવેલ ગાયત્રી નગરમાં વિસ્તારમાં ભુગર્ભ ગટર નું ગામ પંચાયત દ્વારા ખોદકામ કરી નાખ્યું પણ પંદર દિવસ સુધી ગોકળ ગાય ગતિ એ ચાલી રહ્યું છે ત્યારે લોકો ને મુશ્કેલીનો સામનો કરવો પડે છે  તેમજ રોડ પર ખોદકામ કરતાં હાઈવે પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા છે કોઈ પડી જવાના બનાવો બન્યા છે છતાંય નિર્ભય તંત્ર દ્વારા ચાચુડી ઘડાવું છું કામ ગીરી ધીમી ગતિએ ચાલી રહ્યું છે દસ ધરો માં ગટર નાં પાણી જતાં ન હોય જેને લઇને ભુગર્ભ ગટરનું ખોદાણ કરવામાં આવી તેમજ કમ્પ્રેશન મારફત પણ ભુગર્ભ ગટર પાણીનો મારો ચલાવ્યો હતો પણ ગટરમાં કચરો ભરાયાં ગયો હોય જેને લઇ ભુગર્ભ ગટર જામ થઇ ગય છે ભાવનગર હાઇવે પર બે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે જેને બુરીને કામગીરી ઝડપી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ગટરના પાણી ભરાયાં ગયાં છે જન આરોગ્ય પર ખતરો મંડળાઈ રહ્યો છે રોગચાળાનો ભરડો લે તે પહેલા કામગીરી કરવામાં આવે તેવી માંગણી છે હાલમાં ગામ પંચાયત માં વહીવટદાર નું શાસન છે હજું નવા આવેલા વહીવટદાર ઝડપથી કામગીરી હાથ ધરાઈ તેવી માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application