પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી નજીકના વિસ્તારમાં રહેતા એક તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી લીધો
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક વેપારીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરી કરી હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો છે, અને પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરને ઓળખી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા અઢી લાખની રોકડ કબજે કરી લીધી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ ગુરૂમુખદાસ દામા નામના ૪૪ વર્ષના સિંધી ભાનુશાળી વેપારીએ ગત ૧૩ મી તારીખે રાત્રે થી ૨૪ કલાકના સમયગાળા દરમિયાન પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા અઢી લાખ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા પછી અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી રકમ ઉઠાવી ગયા હતા. જે અંગે વેપારીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એચ. એ. પીપળીયા તેમજ સિટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને ફરિયાદી વેપારીના ઘરના સીસીટીવી કેમેરા વગેરે ની ચકાસણી કર્યા પછી ચોરી નો ભેદ ઉકેલી નાખી રૂપિયા અઢી લાખ ની રકમ ચોરી કરી જનાર તસ્કરને ઝડપી લીધો હતો.
ફરિયાદી ના મકાન થી થોડે દૂર શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ માં રહેતા ક્રિશ નિતેશભાઇ મંગે નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જે પોતાના પાસે રહેલી રૂપિયા અઢી લાખની રોકડ રકમ સગેવગે કરવાની ફિરાકમાં હતો, જે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને રોકડ રકમ કબજે કરી લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆખરે છઠ્ઠું માનવભક્ષી વરુ દેખાયું ડ્રોન કેમેરામાં, શેરડીના ખેતરમાં હતું છુપાયેલું
September 19, 2024 09:43 AMતમે નહી માનો પણ આ સાચું છે, ટૂથબ્રશથી પણ થઈ શકો છો બીમાર, જાણો ટૂથબ્રશ કેવી રીતે સાફ કરવું
September 19, 2024 09:38 AMઆ રાશિના લોકોએ ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું, વ્યવસાયિક ગતિવિધિઓને વેગ મળશે
September 19, 2024 09:20 AMભારત સાથે કોઈ સીધો સંઘર્ષ નથી, તો પછી આયાતુલ્લા ખામેનેઇ મુસ્લિમોના નામે આટલું બધું કેમ બોલ્યા?
September 19, 2024 08:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech