જામનગરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન 36.6 ડીગ્રી

  • June 18, 2024 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા, જામજોધપુર અને ભાણવડ પંથકમાં વાવણી કાર્ય શરૂ


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં આજે પણ વાદળીયું વાતાવરણ જોવા મળ્યું છે, બીજી તરફ ખંભાળીયા, જામજોધપુર અને ભાણવડ પંથકમાં વાવણી કાર્ય શરૂ થઇ ગયું છે, બફારા વચ્ચે તાપમાન 36.6 ડીગ્રી રહ્યું હતું, જો કે ગઇકાલે 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાતા સાંજે ગરમીમાં થોડી રાહત થઇ હતી.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ મહત્તમ તાપમાન  36.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 29 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા અને પવનની ગતિ 35 થી 40 કિ.મી. પ્રતિકલાક રહી હતી. કેટલાક ગામોમાં તો તાપમાન 41 ડીગ્રી સુધી પહોંચી જશે તેવી આગાહી કરવામાં આવી છે, આજ સવારથી જ બફારો શ થઇ ગયો છે અને જામનગરમાં વાદળો બંધાયા છે.


જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના કાલાવડ, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ, કલ્યાણપુર, જામજોધપુર, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા ગામમાં પણ આજ સવારથી બફારો જોવા મળ્યો છે અને કેટલાક ગામોમાં તો વાદળીયું વાતાવરણ શ થયું છે, ગઇકાલે સાંજે 40 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો, લાંબા સમય બાદ ગુજરાતમાં જોરદાર ગરમી પડી રહી છે, મોટેભાગે સાંજના 6 વાગ્યા પછી ઠંડક રહેતી હોય છે, તેના બદલે રાત્રે પણ તાપમાન 41 થી 42 ડીગ્રી વચ્ચે રહેશે તેવી હવામાન ખાતાએ આગાહી કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application