કોળીવાડ વિસ્તારમાં સાફસફાઇ માટે મોકલેલ ટીમને ગાળાગાળી: સેનીટેશન ચેરમેન

  • September 02, 2024 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કોળીવાડમાં સસ્તા ભાડાની ચાલી આસપાસ સફાઇ કરવામાં આવતી નથી તેવો એક મહિલાએ આક્ષેપ કરીને રોષ વ્યકત કરીને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી ત્યારે તે અંગે સેનીટેશન કમિટીના ચેરમેને એવું જણાવ્યુ હતુ કે, માણસોને સફાઇ કામગીરી માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેમની સાથે ગાળાગાળી સહિતનું વર્તન ફરિયાદી દ્વારા કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે.
પોરબંદરના જાગૃતિબેન કકકડ નામના મહિલાએ તાજેતરમાં એવી ફરિયાદ કરી હતી કે કોળીવાડમાં સસ્તા ભાડાની ચાલી નજીકના વિસ્તારમાં નગરપાલિકાનું તંત્ર  સાફસફાઇમાં ભેદભાવ દાખવી રહ્યુ છે. ત્યારે આ અંગે સેનીટેશન કમીટીના ચેરમેન લાખાભાઇ ભોજાભાઇ ખુંટીએ એવું જણાવ્યુ છે કે પોરબંદરના કોઇપણ વિસ્તારમાં સાફસફાઇ અંગે કોઇપણ ફરિયાદ હોય તો  માત્ર ફોટો મોકલવામાં આવે તો પણ અમે તાત્કાલિક સફાઇ કામદારોને મોકલીને સફાઇ કરાવીએ છીએ પરંતુ આ કિસ્સામાં ફરીયાદી મહિલા દ્વારા સેનીટેશન વિભાગના અમુક માણસો સાથે ગેરવર્તન કરવામાં આવ્યુ હતુ અને ગાળો પણ અપાઇ હોવાનો આક્ષેપ કરીને આ પ્રકારનું વર્તન અયોગ્ય છે તેમ જણાવી તેના કારણે સફાઇ કામદારોએ સાફસફાઇની સફાઇ કામગીરીમાં વિક્ષેપ સર્જાયો હોવાનું જણાવ્યુ હતુ અને કોઇપણ સફાઇ સૈનિકોને ખોટી રીતે હેરાન કરવામાં આવશે અથવા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવશે તો સેનીટેશન વિભાગના ચેરમેન લાખાભાઇ ખુંટી સાંખી નહી લે તેમ જણાવી શહેરીજનોને પણ સફાઇ કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application