પોરબંદરની શ્રી સ્વામીનારાયણ ગુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજકોટના આર.એસ.સી.ની મુલાકાત લીધી હતી.
શ્રી સ્વામિનારાયણ ગુકુલ શૈક્ષણિક સંકુલ છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રાસદાસજીના સંપુર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સહજાનંદસ્વામી લોક-વિજ્ઞાન કેન્દ્ર તથા શ્રી સ્વામિનારાયણ ગુકુલ વિદ્યાલય સેક્ધડરી અને હાયર સેક્ધડરી વિભાગના સંયુક્ત ઉપક્રમે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ રાજકોટ ખાતે આવેલ રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.પોરબંદરમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક સંકુલના સેક્ધડરી અને હાયર સેક્ધડરી વિભાગના વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃતિને ધ્યાને રાખીને શૈક્ષણિક ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજીના હસ્તે શૈક્ષણિક ટુરની શુભ શઆત કરવામાં આવેલી હતી.
આ સમયે શાળાના આચાર્ય વિપુલભાઈ બારૈયા, પોરબંદર જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના હેડ વિવેકભાઈ ભટ્ટ, હાઇસ્કુલના આચાર્ય કેતનભાઈ મોનાણી, તથા સી.બી.એસ.ઈ. સ્કુલના આચાર્યા અર્ચનાબેન થાનકી ઉપસ્થિત રહ્યા હતા.આ શૈક્ષણિક ટુરના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે અને નવું નવું જાણવાની જીજ્ઞાસાવૃતિને ધ્યાને રાખીને વિજ્ઞાન અને ટેકનોલોજીનું ઊંડાણપુર્વક નોલેજ મળે તે હેતુથી આ શૈક્ષણિક ટુરનું આયોજન કરવામાં આવેલું હતુ.જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનના અલગ-અલગ વિભાગની ઊંડાણપુર્વક અને ડેમોસ્ટ્રેશન દ્વારા માહિતી મળેલી હતી.જે અંતર્ગત વિવિધ ગેલરીઓમાં સિરામિક અને ગ્લાસ ગેલેરી, રોબોટિક ગેલેરી, લાઈફ સાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઈસ ગેલેરી, મશીન સાયન્સ ગેલેરી, હાઉ સ્ટફ વર્કસ ગેલેરી જે અંતર્ગત વિસ્તૃતમાં ખુબ વૈવિઘ્ય સભર માહિતી આપવામાં આવેલી હતી.જેમા વિદ્યાર્થીઓને ત્યાં નિદર્શન તેમજ પ્રેકટીકલી માહિતી આપવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ જેવા યંત્રોનું ડેમોસ્ટ્રેશન અને નિર્દેશન દ્વારા માહિતી આપવામાં આવી હત. આ એક દિવસીય શૈક્ષણિક ટુરનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે ખુબ બહોળા પ્રમાણમાં માહિતીઓ જાણવા મળી.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિજ્ઞાન કેન્દ્રના વિવેકભાઈ ભટ્ટ તેમજ શાળાના આચાર્ય વિપુલભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMમહારાષ્ટ્રના જાલનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, 6 લોકોના મોત; 17 ઘાયલ
September 20, 2024 06:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech