13 કિ.મી. રોડની હાલત જર્જરીત: ઠેર-ઠેર ખાડા
ખંભાળીયા તાલુકાના વાડીનાર સર્કલથી કજુરડા પાટીયાનો રોડ શીરદર્દ સમાન બની ગયો છે, જેથી અકસ્માતોના બનાવ બને છે, આ રોડની હાલત એકદમ ગંભીર બનતી જાય છે, આ રોડ વાડીનાર, ભરાણા, નાના આંબલા, મોટા આંબલા, ટીંબડી, કજુરડા પાટીયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ રોડ સિંગલ પટ્ટીનો છે તેમાં અઢળક ખાડા પડી ગયા છે, ત્યાંથી પસાર થતાં વાહનોને ખચર્િ વધી ગયા છે, ગાડીઓમાં નુકશાન થાય છે તેની જવાબદારી કોની ?
વાડીનાર-કજુરડા પાટીયાનો રોડ 13 કિ.મી.નો છે, ત્યાં પહોંચતા માત્ર 15 મીનીટ લાગે તેની જગ્યાએ હવે 45 મીનીટ ઉપર સમય લાગે છે, તંત્રને જાણ હોવા છતાં રોડ બનાવવામાં આવતો નથી, આ રોડ બન્યો તેને આશરે લગભગ ત્રણ વર્ષ થયા હશે જયારે એક વર્ષ થયું ત્યારે જ રોડમાં કાંકરા નિકળી ગયા હતાં, શું આ રોડની કોઇ ગેરેન્ટી નહીં હોય ? શું તંત્ર અજાણ હશે ? જો ગેરેન્ટી હોય તો રોડ પરથી કાંકરી નિકળી જાય અને ખાડા પડી જાય અને રોડ જ ગાયબ થઇ જાય ?
આ રોડ માટે ઢગલો રજુઆતો થયા પછી માંડ-માંડ બન્યો હતો, આ રોડનું થોડાક જ સમય પહેલા સાત ગામના ગ્રામ પંચાયતના લેટરમાં કલેકટરને રજૂઆત પણ કરવામાં આવી હતી તેમજ વારંવાર અખબારી યાદીમાં પણ પ્રસિઘ્ધ કરાઇ હતી, તંત્ર દ્વારા ચકાસણી કરી રોડ બનાવવામાં આવે તો રોડ મજબુત અને ટકાઉ બની શકે છે. ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા એરીયામાં જ રોડ-રસ્તાથી વંચીત સુવિધાના નામે મીંડુ... માત્ર કાગળ પર જ સહાય કે શું ? એવી લોક ચચર્િ જાગી છે. આ રોડ પરથી ગ્રામજનો, વેપારી, શિક્ષક વર્ગ, મજુર વર્ગ, કોન્ટ્રાકટર તેમજ મુસાફરો દ્વારા અવરજવરમાં ખુબ જ મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા કાંઇ જ કરવામાં આવતું નથી. તાત્કાલીક ધોરણે આ રોડનું સમારકામ કરવા ગ્રામજનોની માંગ ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMવિદેશમંત્રી એસ.જયશંકર આવ્યા એક્શનમાં, 10 દેશોના વિદેશમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચાઓ
May 09, 2025 01:13 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech