વાડીનારથી કજુરડા પાટિયાંનો રસ્તો અત્યંત બિસ્માર

  • March 25, 2025 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તંત્ર દ્વારા માત્ર થિગડાં મારી સંતોષ માની લેવાયો...


ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો રોડ છેલ્લા ઘણાં સમયથી બિસ્માર હાલતમાં હોય રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


ખંભાળિયા તાલુકાના વાડીનારથી કજુરડા પાટિયાનો અતિ બિસ્માર રોડ ઘણાં સમયથી ખરાબ હાલતમાં હોય, સોશિયલ મીડિયામાં પણ તેના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા કજુરડાથી કજુરડા પાટિયા સુધીમાં માત્ર થિંગડા મારી સંતોષ માની લેવાયો છે અને વાડીનારથી કજુરડા રોડમાં મસમોટા ખાડા યથાવત છે.


તંત્ર દ્વારા માત્ર થુંકની જેમ ખાડા પૂરવામાં આવ્યા છે. એ પણ મોટા-મોટા ખાડા હોય ત્યાં જ અને વાડીનારથી કજુરડી સુધીનો રોડ તો ભૂલી જ ગયા કે શું? ગાડીઓને થતાં નુકસાનની જવાબદારી કોની? રોડ પર રોજ થતાં અકસ્માત, ગાડીથી પસાર થતાં ગાડીઓમાં નુકસાન થતું તેનું જવાબદાર કોણ? આ રોડ છેલ્લાં ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં છે.


મહાકાય કંપની ધરાવતો એરિયા સુવિધાથી વંચિત, ડેઈલી અપ-ડાઉન કરતાં રાહદારીઓ, વેપારી વર્ગ, વિદ્યાર્થી, ગ્રામજનો, કોન્ટ્રાક્ટર, મજૂરોને પડતી મુશ્કેલીનું જવાબદાર કોણ? ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું કામકાજ આ તેર કિલોમીટરના રોડમાં સાત ગામના ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application